Abtak Media Google News

ઉના અને દુધઈની પણ ધરા ધ્રુજી: 12 કલાકમાં ત્રણ આંચકા આવતા લોકો ભયભીત

સૌરાષ્ટ્ર-કચ્છમાં એકબાજુ વરસાદ અને બીજી બાજુ ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે. છેલ્લા 12 કલાકમાં ત્રણ આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાપરમા તો 3.4નો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે 7:49 કલાકે ઉનાથી 18 કિમી દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. આજે મોડી રાતે કચ્છના રાપરથી 26 કિમી દૂર 3.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું અને આજે વહેલી સવારે 6:03 કલાકે કચ્છના દુધઈથી 13 કિમી દૂર 2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી અને રાપરમાં 3.4ની તીવ્રતાના આંચકામાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.