Abtak Media Google News

વિશાળ શોભાયાત્રા નીકળી

મહુવાના પ્રખ્યાન ખીમનાથ મંદીરનો ર્જીણોઘ્ધાર અને નવનિર્મિત શ્રી લક્ષ્મીનારાયણ મંદીરનો પ્રાણ પ્રતિષ્ઠિત  મહોત્સવ અંતગત કેતનકુમાર બીપીનભાઇ મહેતા ના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી ખીમનાથ મહાદેવ મંદીરે પહોંચી હતા. આ પ્રતિષ્ઠા અનેક સાધુ સંતો હાજર રહેલ મહંત રાજેન્દ્રદાસબાપુ મહુવા, વિજયબાપુ સતાધાર, ભારદ્વાજજીબાપુ નેપાળી બાપુની જગ્યાના રામચન્દ્રબાપુ સુરત શ્રી ગોપાલદાસબાપુ નવસારી, મહંત ચંકુબાપુ સરધારના સ્વામીશ્રી નીતાસ્વરુપદાસજી જેવા અનેક ગામના સાધુ સંતો ઉ૫સ્થિત રહ્યા હતા.પ્રાણપ્રતિષ્ઠાના યજમાન ગં.સ્વ. શારદા ઉમેચંદ મહેતા, સ્વ. જયોતિબેન કીરીટભાઇ મહેતા, કીરીટભાઇ મહેતા, કિરણભાઇ હેમંતભાઇ મહેતા, જીજ્ઞાબેન કેતનભાઇ મહેતા, લાલાભાઇ વાદીવાળ આ પ્રસંગે આદિજાતિ પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા તેમજ નારય કાછડીયા ધારાસભ્ય આરસી મકવાણા, કનુભાઇ કળસરીયા, રાજ મહેતા ટ્રસ્ટી ગ્રામ નિર્માણ મહુવા તેમજ મહુવાના સર્વ જ્ઞાતિજનો હાજરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.