Abtak Media Google News

માલદીવના પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ ભારતના પ્રવાસ પર છે, આજરોજ તે તાજ મહેલની મુલાકાત માટે આગ્રામાં આવે છે. તેઓ ચાર કલાકથી વધુ સમય સુધી શહેરમાં રહેશે. તાજમહલ જોયા પછી, હોટેલ અમર વિલાસમાં બપોરના ભોજન લેશે. તેઓ અમર વિલાસમાં તાજમહલ કરતા વધુ સમય પસાર કરશે. તેને માટે ખૂબ જ જોરશોર સાથે તૈયારી કરવામાં આવી રહી છે.

Advertisement

જાણકારી અનુસાર રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સુનિશ્ચિત પ્રોગ્રામ અનુસાર, ખેરિયા એરપોર્ટ ખાતે લગભગ 10.45 વાગ્યે તેમના પ્રતિનિધિમંડળે પહોંચશે. સ્વાગત પછી તેઓ અમલ વિલાસ હોટલ પર પહોંચશે. 12.10 વાગ્યે તેઓ તાજમહલ પહોંચશે. 50 મિનિટના પ્રવાસ પછી, 1.10 વાગ્યે, તે અમર વિલાસ હોટેલ પરત આવશે. તે લગભગ 95 મિનિટ માટે હોટેલમાં રહેશે. ખેરિયા એરપોર્ટ પર 2.45 વાગ્યે રવાના થશે. 3.15 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.