જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ કાલે ગીતા જયંતિના રોજ ભગવદ્ ગીતાનો ગુંજારવ અને માનવ સેવાના ૫૩ વર્ષોની સેવાયાત્રા પૂર્ણ કરીને ૫૪માં વર્ષમાં પ્રવેશ કરે છે. રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે છેલ્લા ૫૩ વર્ષોથીગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર, ગીતા પ્રચાર,સંસ્કૃત પ્રચાર, નિ:શુલ્ક ઉનાળુ છાશ કેન્દ્ર, નિ:શુલ્ક નિદાન,સારવાર કેમ્પ, રાહત દરે નોટબુક વિતરણ, કારકિર્દી માર્ગદર્શન, સાર્વજનિક વાચનાલય, પુસ્તક મેઇ, મેડિકલ સાધન સહાય, જ્ઞાનયજ્ઞ, બાળ મજુરી નાબુદી અભિયાન, વ્યસનમુકિત વગેરે સેવા પ્રવૃતિઓનું નિયમિત પણે સંચાલન થાય છે. ગીતા વિદ્યાલય-ગીતા મંદિરના ૫૪માં વર્ષમાં પ્રવેશ સમયે છેલ્લા ૫૩ વર્ષો દરમ્યાન મળેલા સહકાર બદલ સૌ દાતાઓ, શુભેચ્છકો પ્રત્યે ઋણ સ્વિકાર સાથે આભારની લાગણી ગીતા વિદ્યાલયના સંચાલક ડો.કૃષ્ણકુમાર મહેતાએ વ્યકત કરી છે.
Trending
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો
- રાજકોટ: ધરમનગર ક્વાર્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત
- રાજ્યભરમાં આજથી ચાર દિવસ હિટવેવની આગાહી