Abtak Media Google News

પોલીસે પતિ સામે ગુનો નોંધી કરી ધરપકડ

બરડા પંથકમાં કુણવદર ગામની એક પરીણિતાએ ઝેરી દવા પી લેતા તેમનું મોત નિપજ્યું હતું. જે બનાવમાં સાસરીયાઓના ત્રાસને કારણે આ પરીણિતાએ આપઘાત કયર્ો હોવાની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે પોલીસે મહિલાના પતિની ધરપકડ કરી લીધી છે.

કુણવદર ગામે રહેતા પુનમબેન ભરતભારથી નામની પરીણિતાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું. જે બનાવ અંગે પુનમબેનના ભાણવડ ગામ ખાતે રહેતા પિતા અશ્વિનગીરી ગોસ્વામીએ બગવદર પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે પુનમબેનના પતિ ભરતભારથી, સાસુ સરલાબેન અને નણંદ સોનલબેન સહિતનાઓ પુનમબેનને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાથી પુનમબેન મરવા માટે મજબુર થયા હતા. ત્યારે પોલીસે આ ફરિયાદના કારણે પુનમબેનના પતિ ભરતભારથીની ધરપકડ કરી પોરબંદરની કોર્ટમાં હાજર કયર્ા હતા.

જેમાં કોર્ટે ભરતભારથીને જેલહવાલે કરવાનો હુકમ કયર્ો છે. આ ઘટનાની કરૂણતા એ છે કે પુનમબેનને 3 વષ્ર્ાનો એક પુત્ર અને બીજો પુત્ર માત્ર 8 માસનો છે. પુનમબેનનું અવસાન થતા આ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી, પરંતુ પિતા પણ જેલહવાલે થતા આ બાળકોએ માતા-પિતા બન્નેને છત્રછાયા હાલ તો ગુમાવી છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.