Abtak Media Google News
  • કારખાનેદાર પતિ સહિત સાસરીયાઓએ મોતને ઘાટ ઉતાર્યાનો મૃતકના પિતાનો આક્ષેપ
  • એક માસ પૂર્વે પતિએ પરિણીતાને માર મારી પિયરમાં તરછોડી ગયો તો

રાજકોટના દર્શન પાર્ક વિસ્તારમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પરિણીતાના આપઘાતના પગલે માવતર પક્ષોએ કારખાનેદાર પતિ સહીત સાસરીયાઓ સામે હત્યાના આક્ષેપ કર્યો છે. એક માસ પૂર્વે પણ પતિએ પરીણીતાને તેના પિયરમાં જ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ માવતરે જણાવ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં  રૈયા રોડ પર દર્શન પાર્કમાં રહેતી અને કાલાવડના નાગપુર ગામે માવતર ધરાવતી મિતલબેન યોગેશભાઇ સાકરીયા નામની 34 વર્ષની પરિણીતાએ ગત રાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

આ અંગે ઘટનાની જાણ થતાં પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ મૃતદેહને ફોરેન્સીક પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે મળતી વધુ વિગત મુજબ કાલાવાડના નાગપુર ગામે રહેતી મિતલબેનના 1પ વર્ષ પહેલા રાજકોટના કારખાનેદાર યોગેશભાઇ ભીખાભાઇ સાકરીયા સાથે લગ્ન થયા હતા.  યોગેશભાઇે મેટોડામાં ફાયમ્સનું કારખાનું ધરાવે છે. પરિણીતા મિતલબેને સાસરીયામાં ગળાફાંસો ખાઇ લેતા તેમના પિતા રતીલાલ સહીત અનેક માવતર પક્ષના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા.

સિવીલ હોસ્પિટલના પી.એમ. રૂમ પર મૃતકના પિતા રતિલાલે મિતલબેનના પતિ યોગેશ સહીત સાસરીયા પક્ષના લોકો સામે તેમની પુત્રીને મોતને ઘાટ ઉતાર્યાના આક્ષેપો કરતા ચકચારી મચી જવા પામી છે.

રતિલાલના જણાવ્યા મુજબ યોગેશ છેલ્લા ત્રણ વર્ષથી મીતલબેન પર ત્રાસ ગુજારતો હતો. એક માસ પૂર્વે યોગેશ મિતલબેનને લઇ માવતર નાગપુર ગામે ગયા હતા. જયાં યોગેશે સસરા રતિલાલ  સામે મિતલબેન સાથે મારકુટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેના કારણે પિતા રતિલાલે પોતાના જમાઇ સામે પુત્રી મિનલબેનને મોતને ઘાટ ઉતાર્યાનો ગંભીર આક્ષેપો કર્યા હતા. જેથી પોલીસે ઘટનાની નોંધ કરી મોતનું સાચુ કારણ જાણવા માટે મૃતદેહ ફોરેન્સીક પી.એમ. અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.