Abtak Media Google News

૫ દુલ્હા-દુલ્હન નિકાહ પઢશે: કરિયાવર પેટે રોકડ રકમ તેમજ અન્ય ભેટ

ખલીફા એકતા સમૂહ શાદી કમિટી દ્વારા ઓલ સૌરાષ્ટ્ર સુન્ની મુસ્લિમ ખલીફા પ્રગતિમંડળ દ્વારા ૧લી માર્ચે ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. જેમાં, ૫ દુલ્હા-દુલ્હન નિકાહ પઢી સ્વાબે હાસિલ કરશે.

આ સમૂહ શાદીનું આયોજન મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલ, ૮૦ ફુટ રોડ, ભાવનગર રોડ, ફિલ્ડ માર્શલની બાજુમાં, રિલાયન્સ પંપની સામે રાખેલ છે. આ સમૂહ શાદીમાં ૨૯ને રાત્રે ૧૦ કલાકે મિલાદ શરીફ તથા ૧લી માર્ચ રવિવારના રોજ સવારે ૬ થી ૮:૩૦ કલાક સવારનો નાસ્તો આપવામાં આવશે, તેમજ નિકાહ સવારે ૧૦ કલાકે તથા ૧૧ કલાકે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ સમૂહ શાદીના પ્રમુખ જુણેજા અબ્દુલભાઈ (મંત્રી, વાંકાનેર) જણાવ્યું હતું કે, આગલા દિવસે પધારનાર મહેમાનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કમિટી તરફથી કરવામાં આવી છે. આ સમૂહ શાદીમાં દાતાઓ તરફથી દુલ્હા-દુલ્હનને કરિયાવર પેટે રોકડ રકમ તેમજ અન્ય ભેટ આપવામાં આવશે. જેમાં અતિથિ વિશેષ તરીકે મોહનભાઈ કુંડારિયા (સાંસદ), જનાબ ગુલમહમદભાઈ બ્લોચ (પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત, વાંકાનેર), જનાબ ગનીભાઈ ડેકાવાડિયા (પૂર્વ સરપંચ, રાજપીપળિયા), જનાબ હાજી સાલેમહમદભાઈ ભમરા (સેળવા, રાજસ્થાન), સાજીદ આર. ખોખર (ઓલ ગુજરાત સિપાહી સમાજ યુવા પ્રમુખ) ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.