Abtak Media Google News

મેયર બીનાબેન તથા તેમના પતિ જયેન્દ્રભાઈ આચાર્ય ને સિવિલ હોસ્પિટલમાંથી અપાઈ રજા

વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. રાજકોટનાં મેયર બિનાબેન આચાર્ય અને તેમના પતી જયેન્દ્રભાઈ આચાર્યને કોરોના પોઝીટીવ આવતા ગત ૩ સપ્ટેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.ગઈકાલે હોસ્પિટલમાંથી બન્નેને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે

કોરોનાને મહાત આપવામાં સફળ રહેનારા મેયર બિનાબેનએ જણાવ્યુ હતું કે, સિવિલ હોસ્પિટલમાં અદ્યતન બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે તેનાથી પણ વિશેષ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેની સેવાઓ ઉપલબ્ધ કરાયેલ છે. કોવીડ-૧૯ના દર્દીઓને ઉતમ માં ઉતમ સારવાર મળે તે માટે તમામ સગવડ ઊભી કરવામાં આવેલ છે સાથે સાથે ૪૫ જેટલા નોડલ અધિકારીઓ સુપરવિઝન કરી રહ્યા છે. તેમજ ૧૧૦ જેટલા રેસીડેન્ટ ડોક્ટર, ૫૦ જેટલા ક્ધસલ્ટન્ટ ડોક્ટર, ૫૦ જેટલા પેથોલોજીસ્ટ, રેડીઓલોજીસ્ટ સતત ત્રણ શિફટમાં દિવસ-રાત જોયા વગર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ૪૦૦ નર્સિંગ સ્ટાફ, ૧૫ હેડ નર્સ, ૨૫ સુપરવાઈઝર અને અમદાવાદ, સુરતથી આવેલ ડોકટર પણ સતત ફરજ બજાવી રહેલ છે.

વિશેષમાં, એક શિફટમાં ૧૭૦ જેટલા હાઉસ કોપિંગ સ્ટાફ અને ૪૫ જેટલા એટેન્ડર, સાફ સફાઈ, દર્દીઓને જમવાનું-નાસ્તો વિગેરેની કામગીરી કરી રહ્યા છે.

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ વધતા મુખ્યમંત્રી  સતત ચિંતિત રહી તાજેતરમાંજ આરોગ્ય સચિવ જયંતિ રવિ તેમજ ડોકટરો વિગેરેની ટીમ એક અઠવાડિયા માટે રાજકોટમાં રહેલ. આ ઉપરાંત કોવીડ-૧૯ના બેડમાં વધારો કરવા માટે બે દિવસ પહેલા જ કેન્સર રીસર્ચ હોસ્પિટલ ખાતે બેડ બનવવામાં આવેલ છે અને રાજકોટ સિવિલમાં ડોકટરોની પણ ફાળવણી કરવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલમાં કોવીડ-૧૯ના દાખલ થયેલ દર્દી વી.આઈ.પી. હોય કે સાવ ગરીબ ઘરનો વ્યક્તિ હોય તે તમામની સારવાર એક સરખી થાય તે માટે સતત ફોલોઅપ લઇ રહ્યા છે.

મેયર બિનાબેન આચાર્યએ પણ સિવિલની સારવાર દરમ્યાન કોરોના દર્દીની સારવારની કામગીરી નિહાળેલ હતી અને માહિતી મેળવેલ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે કામ કરી રહેલ તમામ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય  જોડાયેલ સ્ટાફની કામગીરી સરાહનીય છે. સારવારની સાથે સાથે પીવાનું શુદ્ધ પાણી, આયુર્વેદિક ઉકાળો, જમવાનું-નાસ્તો વિગેરે માટે પણ ખૂબ તકેદારી લેવામાં આવી રહી છે. તેઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.