Abtak Media Google News

જામનગર મહાનગરપાલીકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આગવી ઓળખના કામ અંતર્ગત રાજાશાહી વખતના નિર્માણ પામેલ તળાવ તથા લખોટા કોઠાને પૂરા તત્વીય જાળવણી હેઠળ તાજેતરમાં જ નિર્માણ કાર્ય કરેલ તેમજ આ તળાવ પર લાઈટીંગ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવેલ છે.

રાજકોટ મેયર ડો. જૈમન ઉપાધ્યાય ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ તથા મ્યુનિ. કમ્નિર બંછાનીધી પાની, વિગેરેએ લખોટા કોઠા, મ્યુઝિયમ તથા તળાવ તેમજ લાઈટીંગ એન્ડ સાઉન્ડ શોની પરિવાર સાથે રૂ‚બરૂ‚ મુલાકાત લીધેલ આ મુલાકાત સમયે જામનગર શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જામનગરના મેયર પ્રતિમાબેન કનખરા, ડે. મેયર ભરતભાઈ મહેતા, સ્ટેન્ડિંગ ચેરમેન કમલાસિહ રાજપૂત તેમજ જામનગર મહાનગરપાલીકાના કમિશનર આર.બી. બારોટ, સીટી એન્જીનીયર તેમજ સંબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.