અમરેલી મહાસંમેલન બાબતે રાજકોટના શ્યામમંદિર ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જ્ઞાતિના પ્રમુખ ઉધોગપતિ અને સતાધારની જગ્યાના સેવક ઉર્વીબેન તથા ભરતભાઈ ટાંકની હાજરી આપી મહાસંમેલન વિશે ચર્ચા કરી હતી. આ મહાસંમેલનમાં ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ યોજાશે. આ મહાસંમેલનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટીંગને સફળ બનાવવા શ્યામ મંદિરના પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, ચંદુભાઈ તથા વોર્ડ નં.૧૩ના બીજેપી પ્રભારી હાર્દિક ટાંક તેમજ અનેક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અને અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. તા.૨૩/૧૨/૨૦૧૮ના રોજ યોજાનાર મહાસંમેલનમાં સર્વે જ્ઞાતિજનોને પધારવા અનુરોધ કરાયો છે.
Trending
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ
- સાવધાન ! સાયબર ગઠિયાઓ નાણા પડાવવા દિલ્હી પોલીસના નામે બનાવટી નોટિસો મોકલે છે