Abtak Media Google News

સોશિયલ મીડિયાથી પાંગરેલા પ્રેમમાં આલિધ્રાના યુવાન સાથે મૈત્રી કરારથી સાથે રહ્યા બાદ પતિના ઘરે બોલાવી માર માર્યો

મેંદરડા તાલુકાનાના અલીધ્રા ગામમાં રહેતા યુવકને જંગર ગામની પરિણીતા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદ બને મૈત્રી કરારથી સાથે રહેતા હતા. બાદમાં ત્રણ દિવસ પૂર્વે પરિણીત પ્રેમિકા પોતાના પતિના ઘરે ચાલી ગઈ હતી અને બાદમાં પ્રેમીને ઘરે બોલાવી પતિ સહિતના શખ્સો સાથે મળી પ્રેમીને માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેંદરડા તાલુકાના આલિધ્રા ગામે રહેતા નયનભાઈ વાલજીભાઈ વાળા નામનો 28 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે જંગર ગામમાં હતો ત્યારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં જાદવ વિજય, વિજય અને વિપુલ ચાંડપા સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા નયન વાળાને તાત્કાલિક સારવાર માટે તાલાળા અને જુનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલના બિછાને રહેલા નયનભાઈએ જણાવ્યું હતું કે હુમલાખોર વિજયની પત્ની ચંદ્રિકાબેન સાથે ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ સંબંધ થયો હતો. બાદમાં ત્રણ મહિના પહેલા બંનેએ કોર્ટમાં મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ ત્રણ દિવસમાં ચંદ્રિકાબેન પોતાના ઘરે ચાલી ગઈ હતી અને બાદમાં પ્રેમી નયનભાઈ વાળાને ફોન કરીને બોલાવી પતિ સહિતના શખ્સો પાસે માર ખવડાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે માળીયા હાટીના પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.