Abtak Media Google News

પુત્રીની પ્રાપ્તિ અને દહેજ મામલે ત્રાસ આપતા પરિણીતાએ ચાર દિવસ પૂર્વે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો

ઉપલેટા રહેતા પરિણીતાના પિતાની ફરિયાદ પરથી પોલીસે પતિની ધરપકડ કરી સાસુ – સસરાની શોધખોળ હાથધરી

રાજકોટમાં દિવાનપરા વિસ્તારમાં આવેલી યસ એપાર્ટમેન્ટમાં રહેતી ઉર્વશી નામની 26 વર્ષીય પરિણીતાએ ચાર દિવસ પૂર્વે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જે મામલે ઉપલેટા રહેતા તેના પિતાની ફરિયાદ આધારે પુત્રીની પ્રાપ્તિ અને દહેજ મામલે ત્રાસ આપતા પતિકૃણાલ રાણીંગા,સાસુ ઈલાબેન રાણીંગા અને સસરા બિપિનભાઈ જેન્તીલાલ રાણીંગા વિરૂદ્ધ ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે.જ્યારે સાસુ સસરાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

વિગતો મુજબ ઉપલેટાની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા અને રાજમાર્ગ વડલી ચોકમાં ઉર્વશી જ્વેલર્સ નામની પેઢી ધરાવતા જયેશભાઈ કાન્તીલાલ પાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. ત્રીજા નંબરની પુત્રી ઉર્વશીના લગ્ન 2017 માં કર્યા હતા.ગઈ તા.16 ના રોજ ઉર્વશીના મોટા સસરાના પુત્ર વિજયે કોલ કરી કહ્યું કે તમારી પુત્રીએ રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

જેથી તત્કાળ રાજકોટ આવ્યા હતા અને પુત્રીના ઘરે જોયું તો તે મૃત હાલતમાં હતી. તેના સાસરીયા પક્ષ પાસેથી જાણવા મળ્યું કે તેની પુત્રી દ22ોજ ઈંગ્લીશ કલાસીસમાં જતી હતી. સાંજે સાસુએ દરવાજો ખટખટાવ્યો ત્યારે સાડા ત્રણ વર્ષની દોહીત્રીએ મમ્મી સુતા છે તેવો જવાબ આપ્યો હતો. થોડીવાર પછી દરવાજો ખોલી જોતા ઉર્વશી પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી.તેની પુત્રીને ઉર્વશીને ત્યાં પુત્રીનો જન્મ થયા બાદ માવતરે લઈ ગયા હતા.  તે વખતે તેની પુત્રીએ જણાવ્યું કે પતિ અને સાસુ સસરાને પુત્ર જોઈતો હતો.

પરંતુ હવે પુત્રીની પ્રાપ્તી થતા મેણાટોણા મારે છે. જેથી તેણે દીકરો કે દીકરી તો કુદરતના હાથની વાત છે તેમ કહ્યું હોવા છતાં મેણા મારવાનું બંધ કરતા નથી.એટલુ જ નહી ચારે માસ પહેલા તે પુત્રીને ત્યાં આંટો મારવા ગયા ત્યારે તેના પતિ અને સાસુ સસરાએ તમે અમારા ઘર પ્રમાણે વસ્તુ આપી નથી, તમને કાંઈ શરમ જેવું નથી તેમ કહ્યું હતું. થોડા દિવસ પછી પુત્રી ઘરે આવી ત્યારે કહ્યું કે તેના સાસુ કહે છે કે તારા પિતાએ અમારા ઘર પ્રમાણે કોઈ વસ્તુ આપી નથી, અમે થોડા દિવસમાં મકાન લેવાના છીએ, જેથી તેનું ફર્નિચર તારા પિતાને કહે જે કે કરાવી આપે, નહીતર ત્યાં જ રોકાઈ જજે.પુત્રીનો ઘ2સંસાર ન બગડે તે માટે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં આ શરત માની લીધી હતી. ત્યારબાદ પુત્રીને સમજાવીને સાસરે મોકલી આપી હતી. થોડા દિવસ બાદ તેની પુત્રીએ કહ્યું કે પતિને કોઈ મહિલા સાથે અફેર હોય તેવું જણાતા આ બાબતે પુછતા રાતના દારૂ પી, ઝઘડો કરી, મારકુટ કરી છે.

એટલુ જ નહી આ બાબતે ચુપ રહેવા પણ કહ્યું છે. અન્યથા તેને કાઢી મુકી બીજી મહિલાને ઘરમાં બેસાડવાની વાત કરી છે. આ વાત સાંભળી તેણે પુત્રીને સમજાવટ કરી હતી. બધુ સારૂ થઈ જશે તેવી ધરપત આપી હતી. આમ છતાં ત્રાસ યથાવત રહેતા આખરે પુત્રીએ આપઘાત કર્યો હતો.જેથી ફરિયાદ પરથી સાસરિયાં સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.