Abtak Media Google News

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા પરિવારની સગીરાનું એક શખ્સ લગ્નના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ  મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં નર્મદા હોલની પાછળ, દલ જમાતખાના સામે રહેતા મુસ્લિમ પરિવારની સગીરાને દેવો રાવળ રહે. કાલીકા પ્લોટ વાળો લગ્નના ઇરાદે લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.
આ મામલે પોલીસે દેવા રાવળ વિરુદ્ધ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરાવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જવા મામલે ગુન્હો નોંધ્યો છે અને  આર.જે.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર વધુ તપાસ કરી રહ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.