Abtak Media Google News

મોરબી નજીક આવેલ મધુપૂર ગામે કરણીસેના દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ક્ષત્રિય સમાજના હોદેદારો સહિત યુવાનો હાજર રહ્યા હતા તેમજ પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ આગળની રણનીતિ ની વાત કરતા કરણીસેના ના અધ્યક્ષ જયદેવ સિંહ જાડેજા એ જણાવ્યું હતું કે આગામી ચૂંટણી માં 26 બેઠક પર હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે તેમજ અન્ય જ્ઞાતિને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રોત્સાહીત કરવામાં આવશે કારણ કે વારંવાર વિનંતી કરવા છતાં ભાજપે પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરી નથી જેનું પરિણામ આગામી દિવસોમાં જોવા મળશે.

Advertisement

બેઠકમાં જિલ્લાભર માંથી ક્ષત્રિય સમાજના આગેવાનો ની હાજરી જણાઈ હતી આ લડાઈ હવે આરપાર ની હોવાનું ક્ષત્રિય સમાજે જણાવ્યુ હતુ તેમજ આવનારા દિવસોમાં ભાજપ હવે તૈયારી માં રહે કારણ કે રૂપાલા ની ટિકિટ રદ ન કરતા ભાજપ પક્ષ માં એટલો દોષિત છે જેટલો પરસોતમ રૂપાલા છે અંતમાં જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.