Abtak Media Google News

મોરબીમાં લખધીરપુર રોડ ઉપરથી ચાર વર્ષની બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો. મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકી ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ બાળકીનો મૃતદેહ બંધ સીરામીક કારખાના નજીકથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલ મોરબી તાલુકા પોલીસે બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હત્યાના આ બનાવમાં પુરાવા એકઠા કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

કુતરાએ ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો

મળતી માહિતી અનુસાર મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ રોયલ સીરામીક કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની ચાર વર્ષની બાળકી છેલ્લા ચાર દિવસથી ગુમ થયાની પોલીસમાં નોંધ કરાવી હતી, જેને લઇ પરિવાર દ્વારા ઓળખીતાઓમાં તથા કારખાનાની આજુબાજુ અને પોલીસ દ્વારા પણ શોધખોળ કરવામાં આવી હતી પરંતુ બાળકીનો કોઈ પતો મળ્યો ન હતો. ત્યારે આ બાળકીનો આજરોજ મોરબીના લખધીરપુર  ઉપર આવેલ મેટ્રો સીરામીકની બાજુમાં બંધ પડેલા કારખાનામાંથી કૂતરાઓએ ફાડી ખાધેલ હાલતમાં આ બાળકીનો મૃતદેહ મળી આવતા જેની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃત હાલતમાં મળેલ બાળકીની ઓળખ માટે ચાર દિવસથી ગુમ થયેલ બાળકીના પરિવારને બોલાવતા પરિવાર દ્વારા પૃષ્ટિ કરવામાં આવી હતી કે આ અમારી ગુમ થયેલ બાળકી છે. બાળકી છે, હાલમાં બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હોવાનું અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ ગુન્હો નોંધવામાં આવશે તેવું મોરબી તાલુકા પોલીસે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.