Abtak Media Google News

મોરબીના ખાનપર ગામે દલિત સમાજની સ્મશાન ભૂમિનો વિવાદ ન ઉકેલાતા આજે સવારે દલિત સમાજના લોકો એક વૃદ્ધના મૃતદેહને લઇને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીના પટાંગણમાં જ ધરણા પર બેસી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી.

ખાનપર ગામમાં છેલ્લા 5 વર્ષથી દલિત સમાજની સ્મશાન ભૂમિ ફાળવવા મુદ્દે ચાલતા વિવાદનો અંત ન આવતાં 15 દિવસ પહેલા ખાનપર ગામનાં દલિત સમાજનાં લોકોએ કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરી જમીનનો કબ્જો સોંપવા માંગ કરી હતી. પરતું આજ સુધી જમીન ન ફાળવવામાં આવતા આજે દલિત સમાજનાં લોકો આજે વહેલી સવારે એક વૃદ્ધનાં મૃતદેહને લઇ કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતાં. જમીન નહીં ફાળવવામાં આવે તો કલેક્ટર કચેરીમાં જ દફન વિધિ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઘટનાની જાણ થતા મોરબી જિલ્લા પોલીસ કાફલો, એમ્બ્યુલન્સ અનેં ફાયર સહિતનો કાફલો કલેક્ટર કચેરીમાં ફાળવી દેવાયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.