Abtak Media Google News

નટરાજ ફાટકથી કલેક્ટર સુધીની પગપાળા રેલીમાં નગરજનો સાથે અનેક સંસ્થાઓ અને સંગઠનો પણ જોડાશે

દેશમાં વધતા જતા બળાત્કારના ગુનાઓ સામે વિરોધ દર્શાવવા મોરબીમાં આજે બપોરે ૩:૩૦ કલાકે નટરાજ ફાટક થી જિલ્લા કલેકટર કચેરી સુધી જાહેર રેલી યોજાશે. જેમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો તેમજ નગરજનો પગપાળા જોડાશે.
ભારત દેશ મા વધતા જતા બળાત્કાર ના ગુન્હા ની વિરુદ્ધ લાલ આંખ કરી ને બળાત્કાર ના દોષીઓ ને આકરી મા આકરી સજા મળે તે માટે સર્વે જાતી સર્વે પાર્ટી સર્વે વિવિધ સંગઠનો સાથે મળી ને આવતીકાલે બપોરે ૩:૩૦ કલાકે  મોરબીની નટરાજ ફાટક થી કલેક્ટર સુધીની પગપાળા રેલી યોજશે. આ રેલીમાં જોડાવા જાહેર અનુરોધ કરાયો છે.
વધુ વિગત માટે અનિશ મનસુરી મો. નં ૯૫૫૮૩ ૨૦૩૬૨, કિરીટ ઘોડાસરા મો.નં. ૮૦૦૦૦ ૫૮૦૦૬ , નદીમ ગોધાવીયા મો.નં ૮૩૪૭૫ ૦૫૮૮૫, દેવરાજ સોંલકી મો.નં. ૯૭૧૨૨ ૩૩૯૧૮, યોગેશ સોંલકી મો.નં. ૮૮૬૬૫ ૯૫૧૫૫, વસીમ મનસુરી મો.નં. ૯૮૯૮૩ ૦૫૭૯૭ નો સંપર્ક કરવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.