Abtak Media Google News

દારૂ પીવાની આદત વાળા શખ્સના મૃતદેહને કુતરાઓએ ફાળી ખાધો

મોરબીના શાપર નજીક એક અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની જાણ થતાં તુરત જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ લાશ દેવીપૂજક શખ્સની હોવાનું બહાર આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા ના શાપર થી જેતપર તરફ જવાના પુલ નીચે કુતરા એ ફાડી ખાધેલ અને કોહવાયેલ હાલત મા અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યા ની જાણ તાલુકા પોલીસ ના શાપર ગામ ને સરપંચ અનુભાઈ એ સવારે નવ વાગ્યે જાણ કરતા તાલકા પીએસઆઈ એસ.એ.ગોહીલ સહીત નો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોચી પ્રાથમીક તપાસ શરૂ કરી હતી.

વધુમાં આ મૃતદેહ પાચ થી છ દિવસ જુનો અને શાપર ગામ ના વતની રમેશ ગોવીંદભાઈ માલણીયાત જાતે દેવીપુજક નો હોવાનુ બહાર આવ્યુ હતુ જેમા મૃતક દારૂ પિવાની ટેવ વાળો હોય મોત નિપજ્યા હોવાની શંકા સેવાઈ રહી છે આ ઘટના મા તાલુકા પોલીસે મૃતક રમેશભાઈ ના પરિવારજનો ને જાણ કરી મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી આગળ ની તપાસ પીએસઆઈ એસ.એ.ગોહીલ ચલાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.