Abtak Media Google News

દવાઓના ઓનલાઈન વેચાણ સામે રીટેઈલ વેપારીઓ લાલધૂમ

કેન્દ્ર સરકાર તાજેતરમાં ઓનલાઇનદવાઓનું વચાણ કરતી ઇ-ફોર્મસી કંપનીઓને મંજૂરી આપી છે. આ વાતથી દેશભરના રીટેઇલ મેડિકલ સ્ટોરના વેપારીઓ લાલઘૂમ બન્યા છે. તા.૨૦થી વિવિધ વિરોધ પ્રદર્શનકરતા વેપારીઓ આ  જે તા. ૨૮ના રોજજિલ્લાભરના મેડિકલ સ્ટોર બંધ રાખી હડતાલ કરનાર છે. આ હડતાલમાં ધ્રાંગધ્રાના દવાના વપારીઓ દુકાનો બંધ રાખી બંધનાએલાનમાં જોડાનાર છે. ઇ-ફાર્મસીથી નશીલી દવાઓનું વેચાણ વ્યાપક થતુ હોવાની રાવ સાથે તેના પર પ્રતિબંધ મૂકવા વેપારીઓ ની માંગ છે.ઓનલાઇન દવાઓનું વચાણ કરતી કંપનીઓને સરકાર  મંજૂરી આપતા  ના મેડીકલ  સ્ટોર ધારકોમાં રોષ ભભૂકયો છે. ઇ-ફાર્મસી કંપનીઓ સીધી દવાઓનું ઉત્પાદનકરતી ફેકટરીઓ પાસેથી મોટા લોટમાં દવાઓ લઇ ગ્રાહકોને ડિસ્કાઉન્ટઆપતી હોવાથી ગ્રાહકો લલચાય છે.પરંતુ ઓનલાઇન દવાના વચાણે થી નશીલી દવાઓનું વેચાણ વધવા  ની શકયતાથી ગુજરાતની સ્થિતિ ઉડતા પંજાબ જેવી થનાર હોવાનું સ્ટોર ધારકોએ જણાવ્યુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લા મેડિકલ એસોસિયશે નઅંતર્ગત આવતી ૨૫૦થી વધુ દુકાનો આજેહડતાલ કરી સરકારની ઇ-ફાર્મસી નીતીનો વિરોધ કરનાર છે. શહેરની તમામ મેડિકલ બંધ રહેશે ઇમરજન્સી માટે સુરેન્દ્રનગર સહેર ની જલારામ મેડીસીન ખુલી આજે રહેસે..

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.