Abtak Media Google News

રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. નીલ કમલભાઇ ધામી હસ્તે મીનાક્ષીબેન કમલભાઇ ધામી પરિવાર રાજકોટ તથા રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્૫િટલ રાજકોટના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જીલ્લાને આંખના મોતિયા વિહિન કરવાના અશ્ર્વમેધ સંકલ્પ પૈકી ૬ (છઠ્ઠો) સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૩૫૨ દર્દી દિવ્ય ગુરુદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી.

7537D2F3 9

આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાને રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો શુઘ્ધ ઘીનો શિરો, દવા ટીપા, ચશ્મા, તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા.

તથા ઓપરેશન થયેલ દરેક દર્દી ભગવાનને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દસકાઓથી નેત્રયજ્ઞ થકી જરૂરિયાત મંદ અને ગરીબોની સેવા કરવામાં આવી રહી છે જેના અનુસંધાને તાજેતરમાં યોજાયેલા સુપર મેગા નેત્રયજ્ઞમાં ૩૫૨ દર્દીઓએ લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.