Abtak Media Google News

એરપોર્ટ પર CO2 ઉત્સર્જનમાં ઘટાડા માટે 4000 એલઇડી સ્થાપિત કરવામાં આવ્યા

પર્યાવરણ સંરક્ષણના મિશન સાથે જોડાઈને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ગત વર્ષે 50 ટનથી વધુ પ્લાસ્ટિક એકત્ર કર્યું છે. નવા 16 ઈલેક્ટ્રિક વાહનો ઉમેર્યા છે, અને ટૂંક સમયમાં એરસાઈડ કામગીરી માટે વધારાનું ઈવી ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરાશે. SVPI એરપોર્ટ પર દરરોજ પસાર થતા મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં સૌથી વધુ પેસેન્જર ટ્રાફિક એક દિવસમાં 37960 હતો, જેમાં દરરોજની સરેરાશ 249 ફ્લાઇટ મૂવમેન્ટ હતી.

Advertisement

તદુપરાંત હવાઈ મુસાફરીની વધતી જતી માંગ સાથે મુસાફરોની અવરજવર અને ડ્રોપ-ઓફ અને પીક અપ માટે આવતા લોકો પણ વધી રહ્યા છે. જો કે, એરપોર્ટ પર પેદા થતો કચરો રિસાયકલ કરવા અને ન્યૂનતમ પર્યાવરણીય જોખમોને ઘટાડવા 50 ટન પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. ખાસ બનાવાયેલા સેગ્રિગેશન પ્લાન્ટની મદદથી સંચિત કચરાને પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ માટે બહાર મોકલવામાં

આવ્યો હતો. સતત પ્રયાસોના પગલે એરપોર્ટ પરથી 15 ટનથી વધુ ખાદ્ય કચરો એકઠો કરવામાં આવે છે. એકત્રિત કચરામાંથી ખાતર બનાવવા એક નવું મશીન પણ એરપોર્ટ પરિસરમાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે.

પર્યાવરણમાં યોગદાન માટેના પ્રયાસો અવિરત રાખીને તાજેતરમાં અમદાવાદ એરપોર્ટે પરંપરાગત બળતણ ધરાવતા વાહનોના સ્થાને અદ્યતન ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ શરૂ કર્યો છે. એટલુ જ નહીં, અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવા એરપોર્ટ કેટલાક સ્ટેક હોલ્ડર્સે એરસાઇડ પર ઇલેક્ટ્રિક વાહનો અને વિવિધ નવીન ઊર્જા સંરક્ષણ પદ્ધતિઓને પ્રોત્સાહન અપનાવવાનું શરૂ કર્યું છે.

ઉપરોક્ત પહેલો ઉપરાંત, SVPIA રૂફટોપ સોલાર પેનલ્સ પણ ધરાવે છે, જે દરરોજ સરેરાશ 5500 KWH ઉર્જા ઉત્પન્ન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એકંદર ઉર્જા વપરાશ પૈકી 8% ઊર્જા ઉત્પાદન સૌર ઊર્જા દ્વારા થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.