Abtak Media Google News
  • સરકારના આ નિર્ણયથી સુરતના ઉદ્યોગપતિઓ અને હીરાના વેપારીઓને ફાયદો 

ગુજરાત ન્યૂઝ 

કેન્દ્ર સરકારે બુધવારે એક મોટો નિર્ણય લેતા ગુજરાતના સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક સૂચના જારી કરીને આ માહિતી આપી છે. આ રીતે ગુજરાતને ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે. સરકારના આ નિર્ણયથી સુરતના ઉદ્યોગપતિઓ અને હીરાના વેપારીઓને ઘણો ફાયદો થશે.

Modi 1

કેન્દ્ર સરકારે બુધવારે એક મોટો નિર્ણય લેતા ગુજરાતના સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક સૂચના જાહેર કરીને આ માહિતી આપી છે. આ રીતે ગુજરાતને ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે.

રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. સુરત તેના હીરાના વ્યવસાય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં સરકારના આ નિર્ણયથી સુરતના ઉદ્યોગપતિઓ અને હીરાના વેપારીઓને ઘણો ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.