Abtak Media Google News

“પાયલ તારો સાથ હશે ત્યાં સુધી મારુ જીવન હશે” સ્યુસાઇડ નોટ લખી યુવાનનો આપઘાત

સોસીયલ મીડિયામાં સ્યુસાઇડ નોટ વાયરલ : પોતાના સલૂનમાં કરી આત્મહતા

અબતક,રાજકોટ

રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતા અને સલૂન ધરાવતા યુવાનને તેની પત્ની સાથે છૂટાછેડા થતા તેનું લાગી આવતા તેને સોસીયલ મીડિયામાં સ્યુસાઇડ નોટ વાયરલ કરી અને પોતાના સલૂનમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.

માહિતી મુજબ શહેરમાં કોઠારિયા રોડ પ૨ ૨હેતા સંદિપ વિઠ્ઠલભાઈ વાઘેલા (ઉં.વ.24)એ ગતરાત્રિના ત્રણેક વાગ્યા આસપાસ પોતાના સલૂનમાં જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. એકના એક પુત્રના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવાને આપઘાત કરતા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની સ્યુસાઇડ નોટ પોસ્ટ કરી હતી. જેમાં પોતાની પૂર્વ પત્નીના વિરહમાં આપઘાત કર્યાનું બહાર આવ્યું છે. “પાયલ તારો સાથ હશે ત્યાં સુધી મારુ જીવન હશે આવતા જન્મમાં ફરી તારી સાથે લગ્ન કરીશ’. સંદિપના 10 દિવસ પહેલા જ તેની પત્ની પાયલ સાથે છૂટાછેડા થયા હતા. જેના કા૨ણે તેણે આપઘાત ર્ક્યાંનું કા૨ણ સ્યુસાઈડ નોટમાં દર્શાવાયું છે.

સ્વાતિ રોડ ઉપ૨ સલૂન ધરાવતા સંદીપ વાઘેલા ગતરાત્રિના પોતાની દુકાને પહોંચ્યો હતો અને ત્યાંથી સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ ઉપ૨ સ્યુસાઈડ નોટ પોસ્ટ કરી દુકાનના પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ત૨ફ સોશિયલ મીડિયા પ૨ કોઈ મિત્રએ તેની પોસ્ટ વાંચી લેતા અન્ય મિત્રોને જાણ કરી હતી અને તુરંત કોઠારિયા રોડ પર આવેલી ન્યુ ગણેશ સોસાયટીમાં તેના ઘરે પહોંચ્યા હતા. અહીં સંદિપના માતા હાજ૨ હતા. પરંતુ તે ઘરે ન હોવાથી મિત્રોએ તેની દુકાને તપાસ ક૨તા રાત્રિના સમયે દુકાન ખુલ્લી હોય અંદ૨ જોતા સંદીપ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો.આથી આજીડેમ પોલીસને જાણ કરી હતી અને સંદિપને નીચે ઉતારી 108ને જાણ કરવામાં આવી હતી. જોકે, તબીબે તેને તપાસી મૃત જાહે૨ ર્ક્યો હતો. બાદમાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, મૃતકે લવ મેરેજ ર્ક્યા હતા તે પરિવારનો એકમાત્ર સંતાન હોય પુત્રના મોતથી પરિવા૨માં શોકનો માહોલ છવાય ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.