Abtak Media Google News

રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારની કામગીરી પુરજોશમાં કરાઈ હતી તેમજ વિવિધ વિસ્તારોમાં ભવ્ય રોડ શો યોજાયો હતો.આ રોડ શોમાં બહોળી સંખ્યામાં રાજકોટવાસીઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં  જોડાયા હતા અને   વિવિધ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા તેમજ તેમની સાથે ચર્ચા કરતા મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતને વિશ્વમાં આર્થિક તેમ જ રાષ્ટ્રીય સુરક્ષા સાથે નવી સિદ્ધિ ઉપર પહોંચાડવાનું સ્વપ્ન લઇને ચાલી રહી છે.Img 20190412 Wa0021જ્યારે વિરોધ પક્ષો આતંકવાદીઓ સાથે ચર્ચા-વિચારણા કરવા ના જૂઠાણા ફેલાવી રહી છે. મોહનભાઈ કુંડારીયાએ વધુમાં જણાવ્યું કે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા રાજકોટવાસીઓ માટે વિકાસના કાર્યો કર્યા છે. જેમકે, આજી-ન્યારી ડેમમાં નર્મદાનાં નીર, નવું બસ સ્ટેન્ડ તેમજ નવા એરપોર્ટની ભેટ આપી. તેમણે વધુમાં જણાવ્યું કે રાજકોટ વિકાસ અને પ્રગતિના શિખરો સર કરશે તથા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળીભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એકવાર જંગી બહુમતીથી વિજયી બને તેવો સંકલ્પ કરીએ.Img 20190412 Wa0024

Advertisement

નરેન્દ્રભાઈ  મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારે સમાજના ગરીબ પછાત વર્ગની હંમેશા ચિંતા કરે છે. સૌની યોજના, આવાસ યોજના, ગરીબ કલ્યાણ મેળા, આયુષ્માન ભારત યોજના થકી એ ગ્રામ્યના છેવાડાના માનવીનો પણ વિકાસ કર્યો છે. આમ મોહનભાઈ કુંડારીયાના સમર્થનમાં રોડ શો યોજાયો હતો જેમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી,રાજુભાઇ અઘેરા, ડીબી ખીંસૂરિયા, નિતિનભાઈ ભૂત, વોર્ડ ના હોદેદારો, મહિલા મોરચાના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ રાજકોટવાસિયો જોડાયા હતા.

0

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.