Abtak Media Google News

ખેતીના વિવિધ પાકોનું વાવેતર કરી અઢળક કમાણી કરતા ખેડુત જેન્તીભાઈ ગજેરા

‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ સુત્રને સાર્થક કરતા જેન્તીભાઈ દ્વારા થાઈલેન્ડથી ડ્રેગન ફ્રુટના રોપાઓ મંગાવી ખેડુતોને રાહતદરે વેચાણ

ખેતી ખર્ચાળ થતી જાય છે અને વળતર ઓછુ મળે છે, આવી વિકટ સ્થિતિમાં તાલાલા (ગીર)ના સુરવા ગામના પ્રગતિશીલ અને મહેનતુ ખેડુત જયંતીભાઈ ગજેરા હાલ રાજકોટ રહે છે. તેઓએ ખૂબ જ સંઘર્ષ અને પરિશ્રમ પછી વિવિધ ખેતી પાકોનું વાવેતર કરી ખુબ કમાણી કરી છે. તેઓ ભરૂડી (જી.રાજકોટ) ગામે ખેતીની જમીન ધરાવે છે, ત્યાં તેઓએ વિવિધ ખેતીના પ્રયોગો કરેલ છે જેમાં તેઓએ પહેલા ટમેટીનું વાવેતર કરેલ. આ ટમેટી વેલા ના રૂપમાં માંડવા પઘ્ધતિથી ખેતી પાક લીધેલ, ટમેટીનો પાક પૂર્ણ થતા તે જમીનમાં કરેલા વાવેલ, કરેલાને માંડવા પર ચડાવી દિધેલ, કરેલાની ખેતીમાં ૧ વિઘે અંદાજે ૧ લાખની આવક મેળવી.

Advertisement

નેપીયર હીરામણી બુલેટ ઘાસ, ૨.૫૧.૫ ફુટના અંતરે સારી ખેળ અને છાણિયું ખાતર નાખ્યા પછી આ ઘાસ ના કાતારાની વાવેતર કરેલ, દર ૫ દિવસે પાણી આપવામાં આવે છે. વાવેતર પછીના ૪ મહિના પછી ઘાસનું ઉત્પાદન સારું થઈ જાય છે. દર મહિને વાઢ આવે છે. આ ઘાસ પશુઓને ખુબ ભાવે છે અને ઘાસનું પુષ્કળ ઉત્પાદન મળે છે. ઉપરાંત ઘાસની એક કાતરી ૨ રૂ લેખે ખેડુતોને વેચે છે. દેસી ટીંડોરાની ખેતી, ૧૦  ૧૦ ફૂટના અંતરે થાંભલા ખોડી ૮ ફૂટ ઉંચાઈ ના માંડવા બનાવવામાં આવે છે. આ દરેક થાંભલાએ ટીંડોરાના રોપા વાવવામાં આવે છે, પુષ્કળ ટીંડોરાનું ઉત્પાદન મળે છે. આ માંડવાની નીચે બુલેટ ઘાસનું વાવેતર કરી મિશ્ર પાક પદ્ધતિથી ઉત્પાદન મેળવે છે. કૃષ્ણફળ ૧૦  ૧૦ ફુટના અંતરે થાંભલા ખોડી ૮ ફુટ ઉંચાઈના માંડવા બનાવવામાં આવે છે. આ દરેક થાંભલાએ કૃષ્ણફળના રોપા વાવવામાં આવે છે. પુષ્કળ કૃષ્ણફળનું ઉત્પાદન મળે છે. કૃષ્ણફળ ઓકટોબર મહિનામાં પાકે છે. એક વેલામાંથી અંદાજે ૧૫૦૦-૨૦૦૦ ફળ મળે છે. આ ફળમાંથી સ્વાદિષ્ટ સરબત બને છે જે પાંચન માટે શ્રેષ્ઠ છે. આ માંડવાની નીચે બુલેટ ઘાસનું વાવેતર કરી મિશ્ર પાક પઘ્ધતિથી ઉત્પાદન મેળવે છે.

Img 20200929 Wa0108

વર્મીક કંપોસ્ટ (અળસીયાનું ખાતર) છાંયે ૧ મીટર  ૮ મીટરના બેડ બનાવી કે જેની ઉંડાઈ ૨ ફૂટ રાખી તેમાં ખેતીવાડીમાંથી નીકળતો નકામો કચરો અને છાણ ભરી દેવામાં આવે છે તેમાં અળસીયા રાખી ઢાંકી દેવામાં આવે છે. અળસીયા આ બધો નકામો કચરો ખાઈ સારું ખાતર બનાવી આપે છે. આ ખાતર જયંતીભાઈ પોતાના ખેતીપાકમાં વાપરે છે. ડ્રેગનફ્રુટ, તેઓએ થાઈલેન્ડથી ડ્રેગનફ્રુટના રોપા મગાવી ખેડુતોને ખુબ જ સસ્તા દરે વેચે છે, ડ્રેગન ફ્રુટની ખેતી આપણે ત્યાં સારી રીતે થઈ શકે છે. ડ્રેગનફ્રુટમાં સિમેન્ટના થાંભલાની ચારેબાજુ એક એક રોપો વાવવામાં આવે છે. દોઢ વર્ષ પછી ઉત્પાદન મળવા માંડે છે, વિશેષ માવજતની કોઈ જરૂર નથી, આ ખેતીમાં સારી આવક મળે છે.

જયંતીભાઈ ગજેરાની એવી લાગણી છે કે હું ખેતીમાંથી સારી આવક મેળવી શકું છું તેવી રીતે મહેનતુ ખેડુતો આ ખેતી રૂબરૂ જોઈ ખેતી કરતા થાય અને મારી જેમ વધુમાં વધુ કમાણી મેળવે તેવા હેતુથી તેની વાડીએ નવરંગ નેચર કલબ દ્વારા વિવિધ ખેતીપાકના નિદર્શન અને તાલીમ સેમીનારનું આયોજન કરેલ જેમાં સૌરાષ્ટ્રના ૪૦ ખેડુતોએ ભાગ લીધો હતો. લોકભારતી સણોસરાથી વિનિતભાઈ સવાણી (કૃષિ વૈજ્ઞાનિક) અને તેઓએ ખેતી બાબતે ખેડુતોને સ્થળ ઉપર માર્ગદર્શન અને મુંજવતા પ્રશ્ર્નો પર નિરાકરણની ચર્ચા કરી. ઉપરાંત વડોદરા સ્થિત વીકિંગ ઈન્ડસ્ટ્રી પ્રા.લી.ના વૈજ્ઞાનિકોએ વિવિધ પાકોમાં જૈવિક ખાતર અને જૈવિક દવા વિશે વિગતે જાણકારી આપી હતી. ભાગ લેનાર ખેડુતોને જૈવિક ખાતર અને જૈવિક દવાના સેમ્પલ આપી પોતાની વાડીએ ખેતી પાકોના થોડા ભાગમાં અખતરા કરવા જણાવેલ હતું.

Img 20200929 Wa0111

વધુમાં વધુ ખેડુતો જૈવિક (સજીવ) ખેતી કરતા થાય અને ખેતીમાંથી વધુ આવક મેળવતા થાય તેવા હેતુથી નવરંગ નેચર કલબ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં ખેડૂત સેમીનારનું આયોજન કરશે. જયંતીભાઈની માધવ ફાર્મ એન્ડ નર્સરી પર રાખેલ સેમીનારમાં આવેલ ખેડુતો પોતાની વાડીએ જૈવિક ખેતી કરી વિવિધ પાકો ખાસ કરીને મિશ્ર ખેતી કરશે અને સેઢે વૃક્ષો વાવશે તેવું આયોજન કરેલ. આ સેમીનારમાં જે.વી.રોકડ (નિવૃત ડીસીએફ), વિનીત સવાણી (કૃષિ વૈજ્ઞાનિક, લોક ભારતી), ડો.સી.વી.બાલધા (પ્રિન્સીપાલ કે.ઓ.શાહ કોલેજ, ધોરાજી), અરવિંદભાઈ કસવાડા (કિશાન ક્રાંતિ સેલ), અશ્મિતાબેન ડી.લાખાણી (જિલ્લા જલસ્ત્રાવ વિકાસ એકમ, રાજકોટ), નિલેશભાઈ દોશી, ભરતભાઈ જોશી, નરેશભાઈ નકુમ, જીતુભાઈ (ખેડુત અગ્રણી) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડુત સેમીનારને સફળ બનાવવા માટે જયંતિભાઈ ગજેરા અને વી.ડી.બાલાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.