Abtak Media Google News

આપઘાતનું કારણ અકબંધ: પરિવારમાં કલ્પાંત

પડધરી તાલુકાના તરઘડી નજીક આવેલ શંકાના મંદિર પાસે ફોરેસ્ટરે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવતર ટુંકાવી લેતા તેના પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુંજબ પડધરી તાલુકાના તરઘડી નજીક આવેલ ભગવાન શંકરના મંદિર પાસે રહેતા અને ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવતા સાગરભાઈ વનરાજભાઈ ચાવડા નામના ૨૨ વર્ષના આહિર યુવાને કોઈ અગમ્ય કારણસર ભગવાન શંકરનાં મંદિર પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવાનને બેશુધ્ધ હાલતમાં સારવાર અર્થે અહીની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજયું હતુ યુવાનની મૃત્યુથી તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક બેભાઈ અને ત્રણ બહેનોમાં વચ્ચેટ હોવાનું અને પરિણીત હોવાનું જાણવા મળ્યું છે. યુવાનના આપઘાતનું કારણ જાણવા પડધરી પોલીસ મથકના જે.કે. ગઢવી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.