Abtak Media Google News

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સૌથી વધુ રૂ.8,086 કરોડ, આ પછી પંજાબ નેશનલ બેંકે 5,340 કરોડ અને કેનેરા બેંકે 4,558 કરોડ જમા કરાવ્યા

નિષ્ક્રિય ખાતાઓમાં પડેલ રૂ. 35 હજાર કરોડ જેટલી રકમ વિવિધ બેન્કોએ રિઝર્વ બેન્કને પરત કરી દીધી છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સૌથી વધુ રૂ. 8,086 કરોડ,  આ પછી પંજાબ નેશનલ બેંકે 5,340 કરોડ, કેનેરા બેંકે 4,558 કરોડ જમા કરાવ્યા છે.  આમાં મોટાભાગની રકમ એવા ખાતાધારકોની છે જેઓ મૃત્યુ પામ્યા છે.

Advertisement

જાહેર ક્ષેત્રની બેંકોમાં દાવા વગરના 35,012 કરોડ રૂપિયા ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંકને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.  આ માહિતી સોમવારે લોકસભામાં નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડ દ્વારા આપવામાં આવી હતી.  કરાડે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સૌથી વધુ રૂ. 8,086 કરોડ જમા કરવામાં આવ્યા હતા.  આ પછી પંજાબ નેશનલ બેંક દ્વારા 5,340 કરોડ, કેનેરા બેંકમાં 4,558 કરોડ જમા થયા.

આમાંની મોટાભાગની રકમ એવા ખાતાધારકોની છે જેઓ મૃત્યુ પામ્યા છે અને વર્ષોથી કોઈએ આ રકમનો દાવો કર્યો નથી. મૃત ગ્રાહકોના ખાતાના દાવાઓની સરળ પતાવટ માટે એસબીઆઈની વેબસાઇટ પર મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે.  મૃત ગ્રાહકોના ખાતાની પતાવટ માટે શાખામાં મળેલી દરેક અરજીને યોગ્ય રીતે સ્વીકારવામાં આવે છે.  જો દસ્તાવેજો અધૂરા હોય અથવા ક્રમમાં ન હોય અથવા દાવો નકારવામાં આવે તો, દાવેદારોની સલાહ હેઠળ, તેના કારણો સાથે તે યોગ્ય રીતે રેકોર્ડ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.