Abtak Media Google News

આજ રોજ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ રીબડા (રાજકોટ) દ્વારા વાલીઓ માટે એક પેરેન્ટીંગ સેમિનાર નો યોર ટીન (જાણો આપના બાળકને) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧.બાળકના વર્તનની સમાજ, ૨. દૂર કરો પરીક્ષાના ભયને, ૩. તણાવ મુક્ત ઘરનું વાતાવરણ, ૪. વળી એક મજબૂત આધાર જેવા વિષયો પર મોટીવેશનલ સ્પીકર પરીક્ષિત જોબનપુત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો. આ સેમિનારને સફળ બનાવવા એસજીવીપી ગુરુકુળ રીબડાના શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી તથા સ્કૂલના પ્રિન્સિપાલ રંજન કુટ્ટીએ ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.