Abtak Media Google News

યુ પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયા-૨૦૧૯નું ઉદ્ઘાટન કરી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું

ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ અને રાજયસભાના સભ્ય જયપ્રકાશ નડ્ડાજી આજે અમદાવાદ ખાતે પધાર્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત મુખ્ય આગેવાનો દ્વારા તેમનું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓના હસ્તે સવારે કર્ણાવતી યુનિવર્સિટી, અમદાવાદ ખાતે યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા-૨૦૧૯નું ઉદ્ઘાટન કરીને સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા  ૨૦૧૯ નું સવારે ૧૦.૩૦ વાગે ઉદ્ઘાટન કરીને માર્ગદર્શન આપશે. તેમની સાથે આ યુથ પાર્લામેન્ટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂ.બ્રહ્મવિહારી સ્વામી, પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.  આ યુથ પાર્લામેન્ટનું સંકલન ભાજપા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ કરી રહ્યાં છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.