Abtak Media Google News

Table of Contents

Screenshot 4 1 રાજકોટમાં એટીએસનું સફળ ઓપરેશન : આઠ શકમંદોની અટકાયત

બંગાળી કારીગરના સ્વાંગમાં બાંગ્લાદેશી આંતકી મોડયુલની પ્રવૃતિનો પ્રચાર કરવાની ભેદી હીલચાલનો પર્દાફાશ

બાંગ્લાદેશથી મુખ્ય સુત્રધાર અબ્દુલ્લાને એટીએસ ઝડપી લીધા બાદ રાજકોટ કનેકશન નિકળ્યું: પિસ્તોલ અને દસ કારતુસ કબ્જે

અલકાયદા આંતકી સંગઠન સાથે સંકળાયેલા ત્રણ બંગાળી શખ્સોને એટીએસના સ્ટાફે સોની બજારમાંથી ઝડપી લેતા સનસનાટી મચી ગઇ છે. ગુજરાત એન્ટી ટેરીરીસ્ટ સ્કવોડના સ્ટાફે રાજકોટના એસઓજી ટીમને સાથે રાખી સોની બજારમાં સોની કારિગરના સ્વાંગમાં રહી આંતકી પ્રવૃતિ કરી રહેલા ત્રણેય શખ્સો પાસેથી પિસ્તોલ અને દસ જેટલા કારતુસ મળી આવતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો છે.  એટીએસની ટીમે તાજેતરમાં જ અલકાયદા સાથે સંકળાયેલા સુત્રધાર અબ્દુલ્લાને ઝડપી લીધા બાદ તેની કરાયેલી પૂછપરછમાં મુળ પશ્ર્ચિમ બંગાળના વતની અને છેલ્લા છ માસથી સોની બજારમાં સોનાના ઘરેણાને પોલીસ કરવાની મજુરી કામ કરતા ત્રણ શખ્સો વોટસએપ કોલથી સંપર્કમાં હોવાનું બહાર આવતા એટીએસની ટીમ દ્વારા સોની બજારમાં દરોડો પાડી ત્રણેયને ઝડપી પૂછપરછ માટે અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા છે. ત્રણેય આંતકીઓ સાથે સંકળાયેલા અન્ય આઠ શકમંદ શખ્સોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

એટીએસની ટીમે ઝડપેલા બંગાળના વતની અને સોની બજારમાંથી ઝડપાયેલા અમન મલીક, અબ્દુલ સુકુર અને સેફનાઝ નામના શખ્સો રાજકોટમાં રહેતા બંગાળીઓનો સંપર્ક કરી અલકાયદાની ત્રાસવાદી પ્રવૃતિમાં જોડાવવા માટે પ્રચાર કરતા હોવાનું તેમજ આંતકી પ્રવૃતિ માટે ફડીંગ એકઠું કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

વિગતો મુજબ ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યૂલ એક્ટિવ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટની સોનીબજારની અંદર ત્રણ વ્યક્તિ આતંકી સંગઠન અલકાયદાને મદદ કરવા માટે સક્રિય થઈ હતી. આ અંગેની માહિતી ગુજરાત એટીએસને મળી હતી, આથી ગત મોડી રાતે ઓપરેશન કરીને ત્રણ આરોપીને ગુજરાત એટીએસે ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓ આતંકી સંગઠન અલકાયદા માટે ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા માટે એક્ટિવ થયાં હતાં. ગુજરાત એટીએસએ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને રાજકોટમાંથી પકડ્યા છે.

Screenshot 3 1

ગુજરાત એ.ટી.એસ એ રાજકોટની સોની બજારમાં આવેલા જે.પી ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી બે શખ્સોની અટકાયત કરી છે. જેમાં કાજી આલોંગીર અને તેમના સાળા આકાશની અટકાયત કરવામાં આવી છે. જેઓ મૂળ પશ્ચિમ બંગાળના વતની છે. એ.ટી.એસના ત્રણ પોલીસ અધિકારીઓ વેશપલટો કરી આવી અને કાજી આલોંગીરને મોબાઈલ ફોનમાં ફોટો બતાવી આમને ઓળખો છો તેવું પૂછી તેમના મોબાઈલ ચેક કરી તાત્કાલિક ઉઠાવી લઇ ગયા હતા.

જે ચેમ્બરમાંથી બે આરોપીની અટકાયત કરી તેમની સાથે કામ કરતા અન્ય બંગાળી કારીગરે જણાવ્યું હતું કે, શેઠ પાંચ છ વર્ષથી હું ઓળખું છું, બોવ સારો માણસ છે, આજુબાજુમાં કોઈને પણ તમે પૂછી શકો છો, બધા એવું જ કહેશે કે સારો માણસ છે. સવારથી પોતાનું કામ કરતો હતો અને સમયે સમયે નમાજ પઢતો, કુરાન વાંચતો હતો. કોઈ તેમને મળવા આવ્યું હોય કે એવું કહી અમારા ધ્યાનમાં નથી. પોલીસે આવી તેમને મોબાઈલમાં ફોટા બતાવ્યા આમને ઓળખો છો. તેમ પૂછી બાદમાં અહિયાંથી ગઈકાલે લઇ ગયેલા છે.

ગુજરાત એટીએસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજકોટના સોની બજારમાં ત્રણ લોકો આતંકી મોડ્યૂલ માટે મદદ કરતા હતા. જે ઘણા સમયથી વોચમાં ગોઠવાયા બાદ એટીએસને બાતમી મળી અને સોની બજારમાંથી ત્રણ શખસની અટકાયત કરીને પૂછપરછ કરતા તેઓ અલકાયદા માટે કામ કરતા હતા તેવું ખૂલ્યું છે. આ શખસો પાસે ગુજરાતમાં કે અન્ય જગ્યાએ અલકાયદાના સ્લીપર સેલને મદદ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી, તેમણે હવાલાથી પણ કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની વિગત મેળવવા તજવીજ હાથધરી છે. ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં ઘણા સમયથી સ્લીપર સેલમાં ગતિવિધિ ન હતી, પરંતુ ગુજરાત એટીએસએ તેની કડી શોધીને આખા રેકેટનો પડદાફાશ કર્યો છે. આતંકી કઈ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના હતા અથવા કોઈને મદદ કરી રહ્યા હતા તેની સઘન પૂછપરછ ચાલી રહી છે.

ત્રણેય આતંકીઓ 6 માસથી રાજકોટમાં રહેતા’તા

ગુજરાત એટીએસએ રાજકોટમાંથી પશ્ચિમ બંગાળના 3 આતંકીઓની અટકાયત કરી છે. આ ત્રણેય શખસ છેલ્લા 6થી મહિનાથી રાજકોટમાં રહેતા હતા. આ શખસો અલકાયદા સાથે કનેક્શન ધરાવતા હતા. ત્રણેય શખસ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા.જેથી તેની હાલ અટકાયત કરી આગળની પુછપરછ હાથ ધરી છે

રાજકોટ બાર એસોસિએશનનો ઠરાવ: આતંકવાદીઓ તરફે કોઈ પણ વકીલ નહીં રોકાય

ગુજરાત એટીએસએ રાજકોટમાંથી પશ્ચિમ બંગાળના 3 આતંકીઓની અટકાયત કરી છે. ત્યારે તેના રિમાન્ડ મેળવવા માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.ત્યારે આરોપીઓ તરફે કોઈ પણ વકીલ રોકાશે નહિ તેવો રાજકોટ બાર એસોસિએશનનો ઠરાવ કરવામાં આવ્યો છે.

ત્રણેય પાસેથી એક પિસ્તોલ અને દસ કાર્ટિસ પણ કબજે કરી

એટીએસએ પ્રથમ બાંગ્લાદેશથી મુખ્ય સૂત્રધાર અબ્દુલ્લા ને પકડ્યો હતો ત્યારે રાજકોટના ત્રણે શખ્સો ના નામ ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.જેની પાસેથી એક પિસ્તોલ અને દસ કાર્ટિસ પણ કબજે કર્યા છે.જ્યારે હથિયાર સપ્લાય કરનાર કોણ એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આજે ત્રણેયને રાજકોટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ રજૂ કરવામાં આવ્યા છે.

દજમાતુલ મુજાહીદિન બાંગ્લાદેશી આતંકી મોડ્યુલ સાથે ત્રણેય એક્ટિવ હતા

ત્રણેય આરોપીઓ જમાતુલ મુજાહીદિન નામના બાંગ્લાદેશના આતંકી મોડ્યુલ સાથે કનેક્ટેડ હતા. ગુજરાતી એટીએસએ તેમને ઝડપ્યા ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યૂલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા હતા. તાજેતરમાં આ મોડ્યૂલના માસ્ટર માઈન્ડને બાંગ્લાદેશ એન્ટી ટેરેરિસ્ટ ગ્રુપે ઝડપી લીધો હતો. આ મોડ્યૂલ અલકાયદાનું એક નાનું મોડ્યૂલ છે જે ઉત્તરપ્રદેશ અને અલગ અલગ જગ્યાએથી તેના લોકો અગાઉ ઝડપાઈ ચૂક્યા છે.

કોઈ ને શંકા ન જાઈ તે માટે રાજકોટમાં ગોલ્ડ પોલિશનું મજૂરી કામ કરતા ’તા

કોઈને શંકા ન જાઈ તે માટે ત્રણેય રાજકોટમાં ગોલ્ડ પોલિશનું કામ કરતા બાંગ્લાદેશનો આકા જેવો મેસેજ આપે એટલે તરત જ તેઓ કઈ પણ કરવા તૈયાર હતા. આ માટે તેમણે હથિયાર પોતાની પાસે રાખ્યા હતા. અહીંયા તેઓ ગોલ્ડ પોલિશનું કામ કરતા હતા અને કોઈને શંકા ન જાય તે માટે મજૂરી જેવું કામ કરતા હતા. જ્યારે પડદા પાછળ તેઓ આ મોડેલની વિચારધારા ફેલાવવા માટેનું કામ કરતા હતા.

એક માસ પુવે જ એટીએસએ પોરબંદરમાંથી શ્રીનગરના મહિલા સહિત ચાર આતંકીઓને પકડ્યા હતા

એક માસ પૂર્વે જ એટીએસ દ્વારા વૈશ્વિક આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા શ્રીનગરના ત્રણ કટ્ટરવાદી યુવાનોને પોરબંદરમાંથી દબોચ્યા હતા.સ્થાનિક પોલીસને ઊંધતી રાખીને એન્ટી ટેરરીસ્ટ સ્કવોડની ટીમે મોટું ઓપરેશન પાર પાડયું હતું.જેમાં આ ત્રણચે શખ્સો પોરબંદરના સમુદ્રકિનારેથી ઇરાન થઇ અફધાનિસ્તાન જાય તે પહેલા રેલ્વે સ્ટેશન ખાતેથી જ પકડી પાડયા હતા. અને તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામીક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે જોડાયેલા હતા.

મારો ભાઈ આતંકી નથી: એટીએસએ ઉઠાવેલા શકમંદના ભાઈનો બચાવ

એટીએસે ઉઠાવેલા શકમંદના ભાઈ શેખ ખલીલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો ભાઈ શેખ અબ્બાસ હજુ 15 દિવસ પહેલા જ રાજકોટ આવ્યો છે, સોની બજારની અલગ અલગ દુકાને જઈને કુરાન વાંચવાનું કામ કરે છે. ગઈકાલે બપોરે 12 વાગ્યે પોલીસ આવી અને તેને કહ્યું કે, તારી પાસે 4 મોબાઈલ છે. જેના જવાબમાં મારા ભાઈએ ના પાડતા તેને પ્રથમ ઘરે લઇ ગયાં હતા અને ત્યાંથી મારા ભાઈ અને ભાભીના મોબાઈલ સાથે ભાઈને લઇ ગયાં હતા. જે બાદ મે તપાસ કરતાં ભગવતીપરા પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યાંથી મને એવુ કહેવામાં આવ્યુ કે કંઈક ઘટના બની છે જેથી મારાં ભાઈને પોલીસ લઇ ગઈ છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, હું પોતે અહીંયા 13 વર્ષથી રહું છું અને સોની કામ કરું છું. મારો ભાઈ તો હજુ 15 દિવસ પહેલા જ આવ્યો છે તો તે આતંકી કેવી રીતે હોઈ શકે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.