Abtak Media Google News

ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાના હેતુથી અને આર્થિક લાભ મેળવવાના હેતુથી અમુક ઇસમો ભારતીય ચલણી બનાવટી નોટો બજારમાં ખરા તરીકે ઉપયોગ કરતા તત્વો બાબતે માહિતી મેળવી આવા તત્વોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટને ખાસ કામ સોંપેલ અન્ય એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જી.જાડેજાની આગેવાનીમાં એલ.સી.બી.ની એક  ટીમ બનાવી આવા ઇસમો બાબતે માહિતી મેળવવા ખાનગી ઓપરેશન હાથ ધરેલ અને તેના ભાગરૂપે આજરોજ ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી.એ ગારીયાધાર બસ સ્ટેશન પાસેથી એક ઇસમને રૂપિયા ૩૦૮૦૦/- ની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડેલ છે.

આ બનાવની વિગત એવી છે કે, ગઇ કાલે ભાવનગર એલ. સી.બી./એસ.ઓ.જી. પોલીસના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જી.જાડેકાની આગેવાનીમાં એલ.સી.બી.ના પોલીસ કોન્સ. શક્તિસિંહ સરવૈયા તથા દિલીપભાઇ ખાચરને મળેલ સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, હસમુખભાઇ ગોરધનભાઇ ઝાલાવાડીયા રહેવાસી ગામ મોટા ચારોડીયા તા. ગારીયાધારવાળો બનાવટી ભારતીય ચલણી નોટો થોડા દિવસથી બજારમાં ઘુસાડે છે અને તે બસ સ્ટેશનથી પરવડી જવાના રસ્તે નીકળનાર છે જે બાતમી આધારે વોચ ગોઢવી બસ સ્ટેશન પાસે સર્કિટ હાઉસના દરવાજા પાસેથી આરોપી હસમુખભાઇ ગોરધનભાઇ ઝાલાવાડીયા/પટેલ ઉ.વ.૩૪ રહેવાસી ગામ મોટા ચારોડીયા તા. ગારીયાધાર જીલ્લો ભાવનગર વાળાને બનાવટી ભારતીય ચલણીની નોટો રૂપિયા ૫૦૦ ના દરની નોટ ૬૦ તથા ૨૦૦ ના દરની નોટ ૦૪ મળી કુલ રૂપિયા ૩૦૮૦૦/-ની સાથે ઝડપી પાડેલ હતો અને તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એલ.સી.બી.ના પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચારે ફરિયાદ આપી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. જેના આગળની તપાસ એલ.સી.બી./એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.