Abtak Media Google News

મહેસાણાી દ્વારકા દર્શને જતા પરિવારને નડયો અકસ્માત: પરિવારમાં શોક

રાજકોટ-અમદાવાદ ઘોરી માર્ગ પર આવેલા કુવાડવા નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતાં દ્વારકા દર્શને જતા મહેસાણાના પરિવારને અકસ્માત નડયો હતો. અકસ્માતમાં વૃધ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે કાર ડ્રાઈવર સહિત છ લોકોને ઈજા તા સારવાર ર્એ ખસેડવામાં આવ્યા છે. આ કુવાડવા પોલીસે નોંધ કરી તપાસ હા ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મહેસાણામાં રહેતા વિનાયકભાઈ પદમાકરભાઈ ડકારે (ઉ.વ.૫૭) તેમની પત્ની વંદનાબેન વિનાયકભાઈ ડકારે (ઉ.વ.૫૦) પુત્રી નિકિતા વિનાયક અને પ્રણીતા સંદીપભાઈ દસ્તુરે તેમજ જમાઈ સંદીપ દસ્તુરે અને કાર ડ્રાઈવર મુકેશ એદુજી ડકારે સહિતના કારમાં બેસી મહેસાણાી દ્વારકા દર્શન કરવા જઈ રહ્યાં હતા ત્યારે કુવાડવા નજીક પહોંચતા આગળ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં વિનાયકભાઈ પદમાકરભાઈ ડકારેનું ઘટના સ્ળે જ મોત નિપજયું હતું. જયારે ઘવાયેલા કાર ડ્રાઈવર સહિતનાને સારવાર ર્એ અહીંની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બનાવ અંગે જાણ તા કુવાડવા રોડ પોલીસ મકના પીએસઆઈ પી.સી.મોલીયા, રાઈટર હેમતભાઈ અને હેડ કોન્સ્ટેબલ હમીતભાઈ સહિતનો સ્ટાફે ઘટના સ્ળે દોડી જઈ જ‚રી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.