છેલ્લા ઘણા સમયથી મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક વેળાએ પ્રેક્ષક ગેલેરી બંધ રાખવામાં આવે છે. વિરોધ પક્ષના ઉપનેતા મનસુખભાઈ કાલરીયાએ આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયને રજૂઆત કરી હતી અને સભાગૃહની પ્રેક્ષક ગેલેરી લોકો માટે ખુલ્લી મુકવા માંગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રેક્ષક ગેલેરી બંધ રાખવી જનતાને અન્યાય કરતા અને લોકશાહીને ગળાટૂંકા સમાન છે. આ નિર્ણયથી ભાજપની સરમુખત્યારશાહી માનસીકતા છતી થાય છે. બોર્ડમાં સામાન્ય રીતે લોકોને સીધી અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચા થતી હોય છે ત્યારે લોકો પણ આ તંદુરસ્ત ચર્ચામાં સામેલ થઈ શકે તે માટે પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવી જોઈએ. જો વિપક્ષની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સામાન્ય લોકોને ન્યાય અપાવવા કોંગ્રેસ પોતાની લડત ચાલુ જ રાખશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ