Abtak Media Google News

 છેલ્લા ઘણા સમયથી મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક વેળાએ પ્રેક્ષક ગેલેરી બંધ રાખવામાં આવે છે. વિરોધ પક્ષના ઉપનેતા મનસુખભાઈ કાલરીયાએ આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયને રજૂઆત કરી હતી અને સભાગૃહની પ્રેક્ષક ગેલેરી લોકો માટે ખુલ્લી મુકવા માંગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રેક્ષક ગેલેરી બંધ રાખવી જનતાને અન્યાય કરતા અને લોકશાહીને ગળાટૂંકા સમાન છે. આ નિર્ણયથી ભાજપની સરમુખત્યારશાહી માનસીકતા છતી થાય છે. બોર્ડમાં સામાન્ય રીતે લોકોને સીધી અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચા થતી હોય છે ત્યારે લોકો પણ આ તંદુરસ્ત ચર્ચામાં સામેલ થઈ શકે તે માટે પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવી જોઈએ. જો વિપક્ષની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સામાન્ય લોકોને ન્યાય અપાવવા કોંગ્રેસ પોતાની લડત ચાલુ જ રાખશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.