Abtak Media Google News

સંજય લીલા ભણશાલી નિર્દેશિત ‘પદ્માવત’ને લઈ વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. 12 જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કહ્યું હતું કે, ‘ગુજરાતમાં ફિલ્મ પદ્માવત રીલિઝ થશે નહીં’. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા ગત વર્ષના નવેમ્બર માસમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ફિલ્મ રીલિઝ પર પ્રતિબંધ મુક્યો હતો. હાલ તેમણે આ પ્રતિબંધ ચાલુ રહેવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.