અભિનેત્રી દિપીકા પદુકોણ કહે છે કે, ફિલ્મ પદ્માવતીની રીલીઝ કોઈ રોકી નહીં શકે. અત્યારે આ ફિલ્મને લઈને ચાલતા વિવાદથી અભિનેત્રી ખુબજ વ્યથીત થઈ છે. તેણે કહ્યું કે, દેશમાં કાયદા-કાનૂન હાથમાં લેનારા લોકોએ જાણી લેવું જોઈએ કે, હજુ સેન્સર બોર્ડ હયાત છે. ખાસ કરીને ફિલ્મના સ્ક્રીનીંગ વખતે સીનેમાઘરમાં અમુક લોકોએ તોડફોડ કરી તેની સામે દિપીકા કહે છે કે, મને સેન્સર બોર્ડ અને દેશના કાયદા-કાનૂન ઉપર પુરો ભરોસો છે. આ ફિલ્મને રીલીઝ થતા કોઈ રોકી ન શકે.બીજી તરફ સંજય લીલા ભણસાલીનો મિત્ર સલમાન ખાન તેની વ્હારે આવ્યો છે. તેણે કહ્યું કે, સંજય કયારેય કોઈ એવી ફિલ્મ બનાવતો નથી જેનાથી કોઈને દુ:ખ પહોંચે, હજુ તો સેન્સર બોર્ડે આ ફિલ્મને જોવાની પણ બાકી છે ત્યારે અત્યારથી જ કોઈ નિર્ણય લઈ શકાય નહીં. સંજય ખૂબ સુંદર ફિલ્મો બનાવે છે, તેની ફિલ્મોમાં કંઈ વાંધાજનક હોતું નથી. ફિલ્મના નિર્માતા નિર્દેશક સંજય લીલા ભણસાલીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, આ ફિલ્મમાં અલાઉદ્દીન ખીલજી અને પદ્માવતી વચ્ચે કોઈ ગીત કે એવા દ્રશ્યો નથી, જેથી ઈતિહાસ સાથે કોઈ ચેડા થયા નથી.ગઈકાલે દિપીકા પદુકોણે ટવીટ કરીને સીનેમા ઘરમાં ફિલ્મ પદ્માવતીના સ્ક્રીનીંગ વખતે તોડફોડ કરવામાં આવી તે ઘટનાને વખોડી હતી. દિપીકાએ સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મો રામલીલા અને બાજીરાવ મસ્તાનીમાં કામ કર્યું હતું.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત