Abtak Media Google News

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ દાવો કર્યો કે ભારતમાં ગૌરક્ષાની આડમાં મુસલમાન, દલિત અને કૃસ્ટિયન મારી રહ્યા છે.

પાકિસ્તાની વિદેશ મંત્રી ખ્વાજા આસિફએ સોમવારે એક ટીવી પ્રોગ્રામમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કર્યું કે તેઓ “ચૂનેલા આતંકવાદી” છે. ખ્વાજા આસિફ એ જિયો ટીવીના પત્રકાર હામીદ મિર સાથે વાતચીતમાં કર્યું કે ભારતીય પ્રધાનમંત્રી ના “તેમના હાથ પર ગુજરાતનાં મુસલમાનોનું લોહી છે.” ખ્વાજા આસિફને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ “આતંકવાદી પાર્ટી” કહ્યું. આ ઉપરાંત તેમણે કહ્યું કે “ આવા દેશ વિષે શું કહવું કે જેમણે આતંકવાદીને ચૂટ્યો હોય.” પાકિસ્તાની વિદેશ મંત્રીએ દાવો કર્યો કે ભારતમાં ગૌરક્ષાની આડ માં મુસલમાન, દલિતો અને ક્રિશ્ચિયન મારી રહ્યા છે. પાકિસ્તાની વિદેશ મંત્રીએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું કે ઉત્તર પ્રદેશ વિધાન સભા ચૂંટણીમાં ભાજપને બહુમત “સાંપ્રદાયક હિન્દુઓ” ના લીધે મળી.

ઇન્ટરવ્યૂમાં ખ્વાજા આસિફે એ વાતો નું ખંડન કર્યું  કે જેમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ભારતીય પૂર્વ નૌસૈનિક અધિકારી કુલભુષણ જાધવને છોડાવા માટે પેશાવરમાં વર્ષ 2014માં એક સ્કૂલ પર હુમલો કરી ને 140 થી વધારે લોકોની હત્યા કરવાવાળા આતંકવાદીઓને સોપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પેશાવર સ્કૂલના હમલા માં વધારે બાળકો માર્યા ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાની સરકાર દેશની અંદર આતંકવાદીઓ પ્રતિ નરમી દેખાડવા માટે ઘેરાય ગયા હતા. એવું માનવામાં આવે છે કે આસિફે જે કહ્યું તે સયુક્ત રાષ્ટ્રની આમ બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તીખી માથાકૂટનું પરિણામ છે. અત્યારે હાલમાં જ થયેલી સયુક્ત રાષ્ટ્રની સભામાં 72મી બેઠકમાં ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પાકિસ્તાનને “આતંકવાદી ખોફ, મોત અને અમાનવીયતાનો સૌથી મોટો સોદાગર કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.