Abtak Media Google News

વિસાવદરના ઢેબર અને વડીયાના મોરવાડા ગામની મહિલાના મૃત્યુ

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી સુકુ બન્યુ હોવા છતાં સ્વાઇનફલુનો રોગચાળો યથાવત રહ્યો હોય તેમ ત્રણ કલાકમાં જ વધુ બે મહિલાના મોત નીપજતા રાજકોટની સિવિલ હોસ્પિટલના સ્વાઇનફલુ વોર્ડમાં મૃત્યુ આંક ૧૪૩ પર પહોચ્યો છે.

Advertisement

વિસાવદર તાલુકાના ઢેબર ગામની હંસાબેન મધુભાઇ માંગરોળીયા નામની ૫૫ વર્ષની મહિલાને ગઇકાલે સ્વાઇનફલુ વોર્ડમાં દાખલ કરાયા બાદ તેણીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો મોડીરાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જ્યારે વડીયા તાલુકાના મોરવાડા ગામની કૈલાશબેન નંદલાલ બોરીસાગર નામની ૩૫ વર્ષની મહિલાને ગત તા.૩૦મીએ સ્વાઇનફલુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયા બાદ રાતે મોત નીપજ્યું હતું.સ્વાઇનફલુ વોર્ડમાં ત્રણ પુ‚ણ અને એક મહિલાને સારવાર માટે દાખલ કરાયા છે. ચારેયનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઢેબર અને મોરવાડાની મહિલાના સ્વાઇનફલુના કારણે મોત નીપજતા ગત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ આંક ૧૪૩ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.