Abtak Media Google News
  • શ દાઝ કયા ગઈ : ભારતીય જનતા પાર્ટીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી

કોંગ્રેસી નેતા સૈયદ નાસીર હુસૈન રાજ્યસભામાં સાંસદ બનતા પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા જે દેશ દાજ ઉપર પ્રશ્નાર્થ મૂકવામાં આવ્યો છે અને સમગ્ર કર્ણાટક સ્તબ્ધ થઈ ગયું છે. સૌથી મોટી વાત તો એ છે કે ભારત દેશમાં રહેતા કોઈપણ કોમના વ્યક્તિએ ભારત માતા અને ભારત દેશનું ગૌરવ હોવું જોઈએ નહીં કે કોઈ અન્ય દેશનું ગૌરવ . પાકિસ્તાન જિંદાબાદના જે નારા લાગ્યા તે ઘણું ખરું સૂચવી જાય છે અને આ જ પ્રશ્ન છે કે દક્ષિણના રાજ્યોમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે જો તપાસમાં આરોપ સાચો જણાશે કે વિધાનસભાની અંદર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવવામાં આવ્યા હતા, તો કડક કાર્યવાહી કરવામાં આવશે.  આરોપ છે કે  કોંગ્રેસના કાર્યકરો રાજ્યસભા ચૂંટણીમાં સૈયદ નાસિર હુસૈનની જીતનો જશ્ન મનાવી રહ્યા હતા.  ત્યારબાદ ત્યાં કેટલાક લોકોએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા.  ભારતીય જનતા પાર્ટીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને કોંગ્રેસ સરકારની નિંદા કરતા બુધવારે બેલગવી, ચિત્રદુર્ગ અને માંડ્યા સહિત રાજ્યના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ આરોપના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું કે આ કેસમાં કોઈને બક્ષવાનો સવાલ જ નથી.  આ આરોપનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ માત્ર ભાજપનો આરોપ નથી.  મીડિયાનો એવો પણ આરોપ છે કે હુસૈનને વિજેતા જાહેર કર્યા બાદ વિધાનસૌધામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.  મુખ્યમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે જો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ના રિપોર્ટમાં સાબિત થશે કે પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તો આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.  પાકિસ્તાનની તરફેણમાં નારા લગાવનારાઓને બચાવવાનો સવાલ જ નથી.

સિદ્ધારમૈયાએ કહ્યું કે અમે અવાજનો રિપોર્ટ એફએસએલને મોકલી દીધો છે.  જો રિપોર્ટમાં એ વાત સાચી ઠરશે કે કોઈપણ વ્યક્તિએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા છે તો તેને કડક સજા આપવામાં આવશે.  કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ચેતવણી આપી હતી કે જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.  કૉંગ્રેસના નેતા અને કર્ણાટકના પ્રધાન પ્રિયંક ખડગેએ ભાજપના દાવાઓને રદિયો આપ્યો અને કહ્યું કે એવું સ્પષ્ટ રીતે સાંભળવામાં આવ્યું છે કે સમર્થકો નસીર હુસૈન અને સૈયદ સાહેબ ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા.  ઓડિયોમાં તે ખૂબ જ સ્પષ્ટ છે કે તેણે નસીર હુસૈન અને સૈયદ સાહેબ ઝિંદાબાદ કહ્યું છે… આ બીજેપી માટે લાઇમલાઇટમાં આવવા માટે એક ભયાવહ પગલું છે.  પક્ષે ઓડિયો ફોરેન્સિક તપાસ હાથ ધરી છે અને જાણવા મળ્યું છે કે એવું કંઈ નથી, પ્રિયંક ખડગેએ જણાવ્યું હતું.  સરકારનો એફએસએલ રિપોર્ટ ટૂંક સમયમાં આવવાની આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.