Abtak Media Google News

શહેરમાં એસ્ટ્રોન ચોક નજીક સરદાર નગર સોસાયટી – 1માં આવેલ ચાર માળીયા બિલ્ડીંગ માં રહી ચોકીદારનું કામકાજ કરતા પૂરનભાઇની પત્ની સવિતાબેન પરિહાર (ઉ. વ.22) એ ગઈકાલે બિલ્ડીંગની લોખંડની સીડીમાં ગળે ફાંસો ખાઈએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગળકાવ થયો છે.

બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી પ્રાથમિક પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક સવિતાબેન ના લગ્ન ત્રણ વર્ષ પહેલા પૂર્ણ ભાઈ સાથે થયા હતા અને તેઓ તે બિલ્ડીંગમાં રહી ચોકીદારીનું કામકાજ કરતા હતા. ગઈકાલ રાત્રે કોઈ કારણો સર તેને સીડીમાં ચુંદડી બાંધી આપઘાત કર્યો હતો.

જ્યારે સવારે રહેવાસીઓ નીચે જતા હતા ત્યારે તેમને સવિતાબેનને લટકતી હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. આ પોલીસે નિવેદન નોધી આપઘાત અંગેનું કારણ જાણવા તપાસ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.