વિધાનસભા ચૂંટરી નજીક છે ત્યારે જિલ્લાસ્તરે ટીમને મજબૂત બનાવવા કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે પિનલબેન ધર્મેશભાઈ સાવલીયાની વરણી કરી છે. પિનલબેન સાવલીયા વ્યવસાયે વકિલ છે. તેઓ સમાધાન પંચ દ્વારા મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાની સેવાકિય પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આ ઉપરાંત સેવાકિય પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ સાવલીયા પરિવારમાં મહિલા પ્રમુખની જવાબદારી પણ નિમાવી રહ્યાં છે. આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન તેમણે કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવાનું લક્ષ્ય હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસમાં મહિલાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. ત્યારે ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં બે અને શહેરમાં એક એમ કુલ ત્રણ મહિલાને કોંગ્રેસ ટિકિટ આપશે. અહીં ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભામાં પિનલબેનને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ ઓફર કરવામાં આવી હતી.આજે ‘અબતક’ સાથે મુલાકાત સમયે સામાજિક અગ્રણી રાજુભાઈ જુંજા પણ હાજર રહ્યાં હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ