Abtak Media Google News

સાંસદના અધ્યક્ષ સ્થાને જન ઔષધિ દિવસની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન ઔષધી કેન્દ્ર થકી જનસેવા, પ્રભુ સેવા મંત્રને સાર્થક કર્યો છે તેમ સાંસદ પૂનમબેન માડમે જન ઔષધી દિવસની ઉજવણીએ યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું.

જામનગર ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જનઔષધિ દિવસ-2021ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિલ્હીથી દેશના વિવિધ વિસ્તારના જનઔષધિ કેન્દ્રના સંચાલકો અને લાભાર્થીઓ સાથે પરિસંવાદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે જન ઔષધિ દિવસની થીમ સેવા ભી ઓર રોજગાર ભી અંતર્ગત પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ત્રણ વર્ષથી ચાલતી આ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના હેઠળ વિવિધ વિસ્તારોમાં લોકોને જીવન જરૂરી દવાઓ ખૂબ ઓછી કિંમતે મળી રહી છે. મધ્યમ વર્ગને, ગરીબોને દવાઓ માટે ક્યારેય આર્થિક તકલીફો વેઠવી ન પડે તે માટે આ પરિયોજના હેઠળ હજુ પણ આગામી દિવસોમાં અનેક જન ઔષધિ કેન્દ્ર ખોલી જનસેવાનું કાર્ય કરવામાં આવશે. સાથે જ આ કેંદ્રો થકી અનેક નવી રોજગાર તકો ઉત્પન્ન થઇ છે.  પૂનમબેન માડમ દ્વારા નવા જનઔષધી કેન્દ્રને જનસેવા કેન્દ્ર તરીકે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તકે સાંસદે કહ્યું હતું કે, જે લોકોને રોજબરોજની દવાઓની આવશ્યકતા છે, તેમના આરોગ્યની દરકાર લઈ તેમને ઓછી કિંમતે દવાઓ મળી રહે અને આરોગ્યલક્ષી કોઈ સમાધાન આર્થિક તકલીફોના કારણે ન કરવું પડે તે ધ્યાને લઇ પ્રધાનમંત્રીએ જન ઔષધી કેન્દ્રના નિર્માણ થકી જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને સાર્થક કર્યો છે.જેનેરિક મેડિસિન વિશે વધુ જાગૃતિ લાવી સાચા અર્થમાં જન ઔષધી કેન્દ્રને જન જન સાથે જોડવા માટેના પ્રયત્નો કરવા અને સ્વસ્થ જામનગર બનાવવા સાંસદે અપીલ કરી હતી.કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, પૂર્વ ડેપ્યુટી મેયર સુરેશભાઈ, જિલ્લા આરોગ્ય અધિકારી બથવાર, વોર્ડના કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો વગેરે આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.