Abtak Media Google News

ધારાસભ્ય સોમાભાઈ પટેલ, સરપંચ વનિતાબેન ખામાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજના દિવસથી આરંભાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તરણેતરના ભાતીગળ લોકમેળાના આજે બીજા અને ગણેશચતુર્થીના પવિત્ર દિને સવારના ૧૦-૨૫ કલાકે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાળિયાદના પ.પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત પ.પૂ. નિર્મળાબા ઉનડબાપુએ ધ્વજાજીનું પૂજન- અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. સાથે લખતર સ્ટેટના  યશપાલસિંહજી પણ ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે મહંત પ.પૂ. નિર્મળાબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણની પરંપરા અંગે જાણકારી આપી  આશિવર્ચન પાઠવ્યા હતાં.Img 2761 ધ્વજારોહણના પ્રસંગે અગ્રણી રામકુભાઇ ખાચરે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે પાંચાળની પવિત્ર ભૂમિ તરણેતર ખાતે વર્ષોથી યોજાતા પરંપરાગત ભાતીગળ લોકમેળાએ પ્રાચીન લોકસંસ્કૃતિને જીવંત રાખી છે. મેળામાં પરંપરાગત ડ્રેસ, પાવા, બળદ ગાડા, શરણાઇ, રાસમંડળઓ વધારેમાં વધારે સંખ્યામાં ભાગ લઇ મેળાની શાન જાળવી રાખે તેવો અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ધોરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.Img 2700

આ પ્રસંગે ધારાસભ્ય સોમાભાઇ પટેલ, અગ્રણી સર્વ ભયલુભાઇ, કરમશીભાઇ રંગપરા, મેરૂભાઇ ખાચર, ચેતનભાઇ ખાચર, હામાભાઇ બલ્યા, શાહબુદીનભાઇ રાઠોડ, પ્રતાપભાઇ ભગત, દેવકુભાઇ ખાચર, સરપંચ વનિતાબેન ખમાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.