Abtak Media Google News

ગાયોને ઘાસચારો પણ ખવડાવાયો

ચોટીલાની પ્રખ્યાત હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનના હોદેદારો દ્વારા આ જ સંસ્થા હ્યુમન રાઇટસ ઓફ ઇન્ડિયાના મહિલા સેલના અધ્યક્ષ પિન્કીબેન તિવારીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પ્રસંગે ચોટીલાના મફતીયાપરા વિસ્તારના ગરીબ બાળકોને ભોજન તેમજ રખડતી ગાયમાતાને ઘાસચારો તેમજ અબોલ પક્ષીઓ માટે ચણ આપવામાં આવેલ.

Img 20191205 Wa0055

જ્યારે સદગત પિંકીબહેન તિવારીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે આ સંસ્થાના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રણજીત ભાઇ.આર. ધાધલ, ચોટીલા તાલુકા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર,  રોહિતભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ કોસીયા, રાવળદેવ, જીગ્નેશ કોસીયા તથા આ સંસ્થાના અન્ય હોદેદારોએ ખાસ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.