Abtak Media Google News

બંદરોના વિવાદોના સસ્તા નિવારણ માટેની સોસાયટી (સરોદ-પોર્ટસ)નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય જહાજ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયા

ભારતમાં બંદર ક્ષેત્રે આશા, વિશ્વાસ અને ન્યાયનુ મુખ્ય વ્યવસ્થા તંત્ર બનશે તેમ કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવીયાએ અત્રે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સરોદ-પોર્ટસનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું.

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ નવીદિલ્હી ખાતે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ‘સરોદ-પોર્ટ્સ’ (Society for Affordable Redressal of Disputes Portsના સસ્તા નિવારણ માટેની સોસાયટી-બંદરો)નો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે સંબોધન કરતા મનસુખ માંડવિયાએ સરોદ-પોર્ટ્સને એક ગેમ ચેન્જર શરૂઆત ગણાવી જણાવ્યું હતું કે, તે ભારતમાં બંદર ક્ષેત્રે આશા, વિશ્વાસ અને ન્યાયનું મુખ્ય વ્યવસ્થાતંત્ર બનશે. માંડવિયાએ એમ પણ ઉમેર્યું હતું કે,ક્ધસેશન સમજૂતીઓનું શબ્દશ: અમલીકરણ કરાવવું તે ટોચની પ્રાથમિકતા છે. સરોદ-પોર્ટ્સની મદદથી નિષ્પક્ષ અને ન્યાયી રીતે વિવાદોનો ઉકેલ લાવી શકાશે અને સાથે-સાથે મોટા પ્રમાણમાં થતા કાયદાકીય ખર્ચ અને સમયની પણ બચત થશે.

જહાજ મંત્રાલયના સચિવ ડો. સંજીવ રંજને જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં તમામ મુખ્ય બંદરો ‘લેન્ડલોર્ડ મોડલ’ તરફ રૂપાંતરિત થઇ રહ્યાં છે. સંખ્યાબંધ ક્ધસેશનેઅર મુખ્ય બંદરો સાથે કામ કરી રહ્યાં હશે. સરોદ-પોર્ટ્સ ખાનગી હિતધારકોમાં આત્મવિશ્વાસ પ્રેરિત કરશે અને અમારા ભાગીદારો માટે અનુકુળ માહોલનું સર્જન કરશે. ઝડપી, સમયસર, ઓછા ખર્ચાળ અને મજબૂત વિવાદ ઉકેલ પ્રણાલીને કારણે તે દરિયાઇ ક્ષેત્રેવેપાર કરવામાં સરળતાને પ્રોત્સાહન આપશે.

સરોદ-પોર્ટ્સની સ્થાપના સોસાયટી નોંધણી અધિનિયમ ૧૮૬૦ અંતર્ગત નીચે ઉલ્લેખ કરવામાં આવેલા ઉદ્દેશો સાથે કરવામાં આવી છે. સસ્તા દરે અને સમયસર નિષ્પક્ષ રીતે વિવાદોનો ઉકેલ તથા મધ્યસ્થીઓ તરીકે ટેકનિકલ નિષ્ણાતોની પેનલ ધરાવતું ઉન્નત વિવાદ ઉકેલ વ્યવસ્થા તંત્ર બનાવવું

સરોદ-પોર્ટ્સમાં ભારતીય બંદર સંગઠન (આઈપીએ) અને ભારતીય ખાનગી બંદર અને ટર્મિનલ સંગઠન (આઈપીટીટીએ)ના સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે.

સરોદ-પોર્ટ્સ દરિયાઇ ક્ષેત્રમાં મધ્યસ્થીઓના માધ્યમથી તમામ વિવાદોમાં સલાહ આપશે અને પતાવટમાં મદદ કરશે, જેમાં મુખ્ય પોર્ટ ટ્રસ્ટમાં બંદરો અને જહાજ ક્ષેત્ર તેમજ ખાનગી બંદરો, જેટ્ટી, ટર્મિનલ અને હાર્બર સહિત બિન-મુખ્ય બંદરોને પણ સમાવી લેવામાં આવ્યા છે. તેમાં મંજૂરી આપતા સત્તામંડળો અને લાઇસન્સ લેનાર/ક્ધસેશનેઅર/કોન્ટ્રાક્ટર વચ્ચેના વિવાદોને તેમજ લાઇસન્સ લેનાર/ક્ધસેશનેઅર અને તેમના કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવિધ કરારોના અમલીકરણ દરમિયાન ઉભા થતા વિવાદોને પણ આવરી લેવાશે.‘સરોદ-પોર્ટ્સ’ એ એનએચએઆઈ દ્વારા ધોરીમાર્ગ ક્ષેત્રમાં વિવાદોનું નિરાકરણ લાવવા માટે ગઠન કરવામાં આવેલા સરોદ-રોડ્સ જેવી જ જોગવાઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા જાન્યુઆરી ૨૦૧૮માં મોડેલ ક્ધસેશન સમજૂતી  (એમસીએ)માં સુધારાને માન્યતા આપવામાં આવી હતી. એમસીએમાં સુધારા દરમિયાન મુખ્ય બંદરો પર પીપીપી પરિયોજનાઓ માટે વિવાદ નિરાકરણ વ્યવસ્થા તંત્ર તરીકે સરોદ-પોર્ટ્સનું ગઠન કરવાની પરિકલ્પના કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.