Abtak Media Google News

પૂ. ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ અન્નદાન, વસ્ત્રદાન અને ઔષધદાન જેવી પ્રવૃત્તિઓથી ધમધમ્યું

ગોંડલ સંપ્રદાયના પૂ. ઈન્દુબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂ. રંજનબાઈ મહાસતીજી તથા પૂ. પદમાબાઈ મહાસતીજીની આજે ૫૧મી દીક્ષા જયંતિ પ્રસંગે અન્નદાન, વસ્ત્રદાન, અભયદાન, ઔષધદાન આપવામાં આવેલ છે.Img 20180313 Wa0027

Advertisement

આ પ્રસંગે સવારે સાધર્મિકોને જીવન જ‚રીયાતની કીટ તથા દરેકને ગરમાગરમ બ્રેકફાસ્ટ આપેલ આ સાથે આજે સોનલ સિનીયર સીટીઝનના વિશિષ્ટ જાપનું પણ આયોજન રાખેલ હતા.જૈન ધર્મની શાશ્ર્વતી આયંબીલની ઓળી આવી રહી છે. તે માટે નલંદા તીર્થધામમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તથા નાલંદા તીર્થધામમાં છેલ્લા ૧૭ વર્ષથી સોનલ સદાવ્રત અવિરતપણે અખંડ પણે ધમધમતું ચાલી રહ્યું છે.આ પ્રસંગે નિલેશભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ મહેતા, જયેશભાઈ માવાણી જયેશ ભાઈ સંઘાણી, પ્રદિપભાઈ માવાણી, અશોકભાઈ દોશી, સંપટભાઈ મારવાડી, વિજયભાઈ ગાઠાણી આદિ સર્વેએ હાજર રહી મહાસતીજીને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.