Abtak Media Google News

ચાલુ નોકરી એ મૃત્યુ પામનાર 57 સફાઈ કામદારો અને સફાઈ દરમિયાન ગંભીર રીતે ઘાયલ 94 સફાઈ કામદારોના વારસદારોને અપાય નોકરી

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજનાબેન પંવારે સફાઈ કરતી વખતે ગૂંગળાઈ જવાને કારણે બે સફાઈ કામદારોના થયેલ આકસ્મિક મૃત્યુ સંદર્ભે રાજકોટની મુલાકાત લીધી હતી.આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને ઉપાધ્યક્ષ અંજનાબેને તાકીદ કરતા જણાવ્યું હતું કે સફાઈ કામદારોના પ્રશ્નો પ્રત્યે રાજકોટ મહાનગરપાલિકાએ સંવેદનશીલ અભિગમ દાખવવો જોઈએ અને સફાઈની ફરજ દરમિયાન થતા મૃત્યુ કોઈ પણ ભોગે અટકવા જ જોઈએ.

સફાઈ કામગીરીમાં જોડાયેલા કાયમી કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ તથા હંગામી કર્મચારીઓને નિયમ મુજબના મળવાપાત્ર તમામ સરકારી લાભો ઉપલબ્ધ કરાવવા આદેશ કર્યો હતો.

03

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આકસ્મિક સંજોગોમાં મૃત્યુ પામતા સફાઈ કામદારો અંગેની રાજકોટ મહાનગરપાલિકાની જોગવાઈઓનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો હતો. અને ઉમેર્યું હતું કે ચાલુ નોકરીએ મૃત્યુ પામનાર 57 સફાઈ કામદારોના વારસદારોને નોકરી આપવામાં આવી છે, જયારે સફાઈ કામગીરી દરમિયાન થયેલી ઈજાને લીધે નોકરી કરવા અશક્ત અથવા તો ગંભીર રૂપથી બીમાર થયેલ 94 સફાઈ કામદારોના વારસદારોને નોકરી આપવામાં આવી છે. 578 સફાઈ કામદારોને તેમના પગારનો હાયર સ્કેલ અપાયો છે.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, ગ્રામ્ય પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, વિકસતી જાતિના નાયબ નિયામક  સી.એન.મિશ્રા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ રાઠોડ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય સંબંધી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.