Abtak Media Google News

હવે લક્ષ્મીબાઈ બનવું જ પડશે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો પોકાર: રાજકોટમાં બાબા બાઘેશ્ર્વરકથાબીજા દિવસે ચિકકારજનમેદની ઉમટી પડી

બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનાં દિવ્ય દરબારનો ગઈકાલે બીજો દિવસ હતો,જોકે સતત બીજો દિવસ હોવા છતાં પણ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી મોટી સંખ્યામાં લોકો બાબાનાં દર્શન કરવા અને તેમના દિવ્ય દરબારનાં સાક્ષી બનવા ઉમટી રહ્યા છે. અને અત્યારે બાબાના આગમન પૂર્વે રેસકોર્સ ગ્રાઉન્ડમાં હકડેઠઠ જનમેદની ઉમટી પડી છે. આજે મહાબીર બિક્રમ બજરંગી ચોપાઈ પર આજની કથા કરવામાં આવી છે. દરમિયાન કથામાં તેમણે નિવેદન કર્યું હતું કે, ભારતના બધા મંદિરોના પૂજારી મંગળવાર અને શનિવારે સનાતનની શિક્ષા અને દીક્ષા આપવા લોકોને એવું મારુ આહવાન છે.આ કરવાથી દીકરીઓ લવજેહાદનો શિકાર નહીં બને. બહેનોને કહેવા માંગુ છું હવે લક્ષ્મીબાઈ બનવું પડશે.

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના વિવિધ શહેરોમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યા છે. રાજકોટમાં એક અને બે જુનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજ

ન કરવામાં આવ્યું હતું. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાબાના દિવ્ય દરબારનું માનવનું મહેરામણ ઉમટીયું હતું બે દિવસ ય દિવ્ય દરબારમાં બીજા દિવસે હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતન ધર્મના પ્રેરી તરીકે ઉભરી આવેલા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથાનું રસપાન કરાવ્યું હતું જેને સાંભળવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળો અને જય શ્રી રામ અને જય હનુમાન ના નાદ સાથે રાજકોટ ગુંજી ઉઠ્યું હતું જાણે એવું લાગતું ઓકે જાણે રાજકોટ બની ગયું છે

કથાના વ્યાસપીઠ પરથી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પરચાથી તો એક સમસ્યાનું સમાધાન થાય હનુમાનજીની ચર્ચાથી તો તમામ સમસ્યાનું સમાધાન થશે આ ઉપરાંત તેણે કહ્યું હતું કે સનાતન નો સેલાબ રાજકોટમાં છે તે બીજે ક્યાંય નથી કારણકે એક તરફ દાદા સોમનાથ બિરાજમાન છે તો બીજી તરફ ભગવાન દ્વારકાધીશ આ ઉપરાંત તેણે રમુજ કરતા જણાવ્યું હતું કે અહીંના મચ્છર તો રાજકોટ વાસીઓ પરેશાન છે તેને મચ્છરના બે પ્રકાર જણાવ્યા હતા એક દબંગ મચ્છર અને એક ડરપોક મચ્છર દબંગ મચ્છર એ છે કે જે ગણગણી અને કહે છે કે જે થાય તે કરી લે જ્યારે ડબ્બો મચ્છર એ છે કે તે કરે અને ચાલ્યા જાય છે અહીંના મચ્છર પણ દબંગ છે તેમજ રેસકોર્સમાં હનુમાન કથામાં ભાવિકોએ રાત્રે મોબાઈલ ફોન નથી ફ્લેશ લાઇટ થી આરતી કરી હતીહનુમાન કથાના વાંચન બાદ ભવિષ્યમાં રાજકોટના આંગણે પાંચ દિવસે હનુમાન ચરિત્ર કથાની તેમણે નેમ વ્યક્ત કરી હતી અને કથા કેન્સર હોસ્પિટલ ના નિર્માણ આયોજિત થશે તેવું તેમણે જણાવ્યું હતું હનુમાન કથા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ચેમ્બર પ્રમુખ વૈષ્ણવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

બાબાના દિવ્ય દરબારને લઈ 200 જેટલા કાર્યકર્તાઓ સલામતી વિભાગમાં કામ કર્યું હતું જ્યારે કે 200 જેટલા કાર્યકર્તાઓ પાર્કિંગ વિભાગમાં કામગીરી સંભાળી હતી ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટ શહેરની મુલાકાતે હતા. તે દરમિયાન તેઓએ રેસકોર્સ મેદાન ખાતે કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ સમયે તેઓની સાથે રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ મુલાકાત લીધી હતી રાજકીય આગેવાન સહિત ઉદ્યોગકારોએ બાબા વાઘેશ્વર પીઠા થી પતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા

રેસકોર્સ મેદાન મેદાનમાં હજારોની સંખ્યામાં ભરી ભક્તો શ્રદ્ધાળુ તૂટી પડ્યા હતા મોડી રાત સુધી બાબાનું દિવ્ય દરબાર ચાલ્યો હતો જે લોકોએ પૂરી શ્રદ્ધાથી હનુમાન કથા શ્રવણ કર્યું હતું બાબાને પોતાને લાક્ષણિક આગમન થતા જ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાબા બાગેશ્વરના આગમન સાથે છે ભક્તિમય થઈ ગયો હતોમળીએ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.