Abtak Media Google News

મામલતદાર કચેરીએ લાંબી લાઈનોથી ખેડુતો પરેશાન

રાજકોટ જીલ્લાના ધોરાજી માં મામલતદાર કચેરી ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની સરકાર શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે પરંતુ આ યોજના નો લાભ લેવા માટે ફોર્મ ભરવાની મુદત સાવ ટૂંકી રાખવામાં આવેલ છે જેને લીધે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ૮ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહ્યા બાદ બીજા દિવસે ફોર્મ ભરવા માટે સમય બગાડી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જ્યારે આ યોજનાનો લાભ લેવાની છેલ્લી તારીખ ૧૮-૦૨- ૨૦૧૯ આપવામાં આવેલ છે જે ખૂબ જ ટૂંકી મુદત હોવાથી અનેક ખેડૂતો લાભ લેવા થી વંચિત રહી જાય છે જેથી આ યોજનાનો લાભ લેવા મુદત વધારવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે :

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.