Abtak Media Google News

એક્ટર સુશાંત સિંહે 34 વર્ષની વયે મુંબઈના તેના ઘરે આત્મહત્યા કરી લીધી છે. યંગ એક્ટરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

વડાપ્રધાને કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત, બ્રાઇટ યંગ એક્ટર જલ્દી ચાલ્યો હતો. તેણે ટીવી અને ફિલ્મ્સમાં નામ કમાયું. એન્ટરટેનમેન્ટ દુનિયામાં તે જે રીતે આગળ આવ્યો તેનાથી ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને તેણે ઘણા યાદગાર પરફોર્મન્સ આપ્યા છે. તેના મૃત્યુની આઘાતમાં છું. તેના પરિવાર અને ફેન્સને મારી સહાનુભૂતિ. ઓમ શાંતિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.