Abtak Media Google News

વીડિયો કોન્ફરન્સ દ્વારા સંગઠન-સંવાદમાં મેરા બુથ સબ સે મજબુત કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપશે

ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે બપોરે ૧૨:૩૦ કલાકે સંગઠન-સંવાદ કાર્યક્રમમાં દેશભરનાં ભાજપના લાખો કાર્યકર્તાઓને ૧૫૦૦૦ સ્થાન મંડલ પર વિડીયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરશે. ગુજરાતમાં ગ્રામ્ય તાલુકા, શહેરીનગરમાં ૪૧૪ સ્થાન અને ૮ મહાનગરોમાં ૩૭ વિધાનસભા સીટ પ્રમાણે કુલ ૪૫૧ સ્થાન પર હજારો કાર્યકર્તાઓને મેરા બુથ-સબ સે મજબુત’ અંગે માર્ગદર્શન આપશે.

Advertisement

ગુજરાતની ૨૬ લોકસભા જીતાડવા માટે લોકસભા પ્રદેશ ચુંટણી પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમજી માથુર તા.૨૫ થી ૧ માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. ઓમજી માથુર ગુજરાતની તમામ લોકસભાવાર કાર્યકર્તાઓની બેઠક લઈ રહ્યા છે. તા.૨૫મીએ બનાસકાંઠા અને પાટણ લોકસભા, તા.૨૬મીએ કચ્છ અને જામનગર, તા.૨૭મીએ પોરબંદર લોકસભાના કાર્યકર્તાઓને મળીને સંગઠનલક્ષી, વ્યવસ્થા અને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા તેમની સાથે રહ્યા હતા. ઓમજી માથુર તા.૨૮મીએ જુનાગઢ જીલ્લામાં બપોરે ૧૨:૩૦ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંગઠન-સંવાદ વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને બપોરે ૩:૦૦ કલાકે જૂનાગઢ લોકસભાના કાર્યકર્તાઓની બેઠકમાં માર્ગદર્શન આપશે. તા.૧લી માર્ચે સવારે અમરેલી અને બપોરે ભાવનગર લોકસભામાં ઉ૫સ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંગઠન-સંવાદ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેરા બુથ-સબ સે મજબુત કાર્યક્રમમાં ગુજરાત લોકસભા ચુંટણી પ્રભારી ઓમજી માથુર જુનાગઢ જીલ્લામાં, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પોરબંદરમાં, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા જુનાગઢ જીલ્લામાં, મહામંત્રીઓ ભરતસિંહ પરમાર સુરત શહેરમાં, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ દાહોદમાં, કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા કર્ણાવતી મહાનગરમાં, ભાર્ગવભાઈ ભટ્ટ પંચમહાલ જીલ્લામાં, પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયા વડોદરા શહેરમાં ઉપસ્થિત રહેશે.

ભાજપના કેન્દ્રીય કાર્યક્રમોમાં ભારત કે મન કી બાત-મોદી કે સાથ, મેરા પરીવાર, ભાજપા પરીવાર, સંપર્ક અભિયાન, કમળ જયોતિ કાયક્રર્મો ઉપરાંત શહિદોને શ્રદ્ધાંજલિ અને ભારતીય વાયુસેનાના સૈનિકોને વંદન અને અભિનંદન સાથેના કાર્યક્રમો પ્રજાની વચ્ચે પ્રજાની પડખે રહીને ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. હવે તા.૨ માર્ચના રોજ ગુજરાતની ૧૮૨ વિધાનસભામાં વિજય સંકલ્પ બાઈક રેલી યોજાશે. તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંગઠન સંવાદ કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તાઓની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન આપશે તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.